16 to 24 August Rain prediction: અંબાલાલ પટેલે કરી નાખી આગાહી, જાણી લેજો રાખવી પડશે આ કાળજી

16 to 24 August Rain prediction: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આજે શ્રવણ સુદ સાતમના વરસાદ થયો છે એટલે વરસાદી ઝાંપટાનું જોર વધશે. જ્યાં માફક સર વરસાદ થયો છે ત્યાં પાક પેદાશ સારું રહેશે. 16થી 24 ઓગસ્ટના સારો વરસાદ થવાની શકયતા છે.

આ પણ વાંચો: રક્ષાબંધન પહેલા મોટી ભેટ, ₹450માં LPG સિલિન્ડર, ₹1500ની મદદ

દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાના કારણે નદીમાં સામાન્ય પૂર આવી શકે. મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ થતાં નર્મદા ડેમમાં પાણી આવશે. 17 ઓગસ્ટના પાણી સારું ગણાય છે જ્યારે 30 ઓગસ્ટથી વરસાદનુ પાણી સારું ગણાતુ

આ સાથે તેમણે જણાવ્યુ કે, સપ્ટેમ્બરના અંતમા લાનીનોની અસર થાય અને આ સમયગાળામાં ચોમાસુ વિદાય લેતું હોય છે એટલે પવનો ઉલટાઇ જતા હોય છે. લાનીનોની અસરથી દેશના ભાગમાં શું અસર થાય તે કહી શકાય નહીં. આમ છતાં ઓક્ટોબરમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે અને આ શિયાળામાં વધુ માવઠા થવાની શક્યતાઓ રહેશે.

અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યુ છે કે, 17 ઓગસ્ટના માખીનું જોર વધશે. કેમ કે, મઘા નક્ષત્ર આવે છે એટલે માખીનું જોર વધી શકે છે. 30 ઓગસ્ટના મચ્છરનું જોર વધશે. પૂર્વ ફાલ્ગુનીમાં મચ્છરનું જોર વધતું હોય છે. જેના કારણે આરોગ્યનું ધ્યાન રાખવું જોઈએ

હવામાન નિષ્ણાતે વધુમાં જણાવ્યુ છે કે, 23 ઓગસ્ટથી 26 ઓક્ટોબર વચ્ચે રોગીષ્ટ હવામાન રહેશે. શરદ ઋતુ થતું હોય છે એટલે રોગિષ્ટ હવામાન થતું હોય છે. મચ્છરજન્ય રોગો અને આંખોના રોગો તેમજ વાયરલ રોગોથી કાળજી રાખવી જોઈએ. આ વખતે આરોગ્યની કાળજી રાખવી જરુરી છે.

Leave a Comment