Rain Forecast in Bhadwara: હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતાઓ છે. અમદાવાદમાં આગામી ત્રણ દિવસ વરસાદ વરસી શકે છે. મોન્સુન ટ્રફના કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે
બીજી તરફ મંગળવારે એટલે કે આજે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. દાહોદ, અરવલ્લી, મહીસાગરમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.
આ પણ વાંચો : વાદળછાયા વાતાવરણ વચ્ચે અંબાલાલ પટેલની ઘાતક આગાહી, ઘેલી ચિત્રા બોલાવશે બઘડાસટી
આ તરફ પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદામાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. આ તરફ 11 સપ્ટેમ્બરે પણ કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. આગામી 11 તારીખથી ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થવાની આગાહી કરી છે.
બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન સક્રિય થતા ગુજરાત, બિહાર, રાજસ્થાનમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક સ્થળોએ 14 ઈંચ જેટલો વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદની વકી છે. જેના પગલે પંચમહાલમાં ભારે વરસાદની શક્યતા છે. મધ્ય અને ઉત્તર ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

ભાદરવાના કડક-ભડક તડકાથી હજુ રાહત સાથે કૃષિકારોને ચિંતારૂપ વાત જરૂર છે પણ, વાદળોની લૂપાછૂપી અંબાલાલ પટેલને વરતારા માટે મજબૂર કરે છે. અંબાલાલ પટેલે ઊંડો શ્વાસ ભરીને આ ચિંતાજનક આગાહી કરી છે.
ઉપર જે સિસ્ટમ સક્રિય થવા જઇ રહી છે તેનું પરિણામ, હવામાન પર વિપરીત અસર કરશે અને ભાદરવાના તડકામાં ગાદલાં-ગોદડા તડકે મૂકવાનું વિચારતા લોકોએ હજુ પણ એક અઠવાડિયું કદાચ રાહ જોવી પડે તો નવાઈ નથી. આમ તો ભાદરવાની શરૂઆત થઈ ગઈ છે.
ગુજરાતમાં ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ અને પદયાત્રાળુઓ પણ તૈયાર થયા છે. પણ અંબાલાલની આગાહી એક રીતે પદયાત્રીઓ માટે રાહત બની શકે છે.