Ambalal’s advice to farmers: આવી માહિતી અંબાલાલ પટેલ સિવાય કોઈ નહિ આપે, જાણો આ મહિને પડતા નુકસાનના ફાયદા અને ગેરફાયદા

Ambalal’s advice to farmers: ગાંધીનગરનાં અગ્રણી જ્યોતિષ અંબાલાલ પટેલે જણાવ્યું હતુ કે હજી પણ ભારે વરસાદની જનજીવન ઉપર અસર પડવામા છે ત્યારે હવે જોવા જઈએ તો તા.૮ સપ્ટેમ્બર પછી વરસાદનું પ્રમાણ ઘટશે.

આમ છત્તા તા.૧૨-૧૩ સપ્ટેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં બે સિસ્ટમ સક્રીય થઈ રહી છે. જો સિસ્ટમની અંદર પૂર્વ ભારત તરફ થતા વળાંક લઈને મધ્ય પ્રદેશ સુધી પહોંચતા અને બીજી આનુસાંગિક સિસ્ટમને કારણે તા.૧૩થી ૨૨ સપ્ટેમ્બરમાં ગુજરાતનાં જુદા-જુદા ભાગમાં વરસાદની શક્યતા રહેશે.

આ પણ વાંચો : આવતા 24 કલાક દક્ષિણ ગુજરાત માટે ભારે! મેહુલીયો જેમ ફાવે તેમ વરસશે…

મદ્ય પ્રદેશમાં ભારે વરસાદ થતા નર્મદા બંધમાં પાણીની આવક વધશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા રહેશે. હાલના વરસાદ અંગે છે આ નક્ષત્રનું પાણી કૃષિ પાકો માટે સારૂ ગણાતું નથી.

તા.૧૩મી સપ્ટેમ્બર પછીનું પાણી કૃષિ પાકો માટે સારૂ ગણાશે. આ ગણેશ ચતુર્થીના તહેવારમાં રાજ્યના કોઈ- કોઈ ભાગમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. અનંત ચતુર્થીમાં પણ વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહેશે.

દાંતાના ડુંગરાળ વિસ્તારમાં વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહેશે. સપ્ટેમ્બરમા હાલમાં જ્યારે ચોમાસાની વરસાદ પડી રહ્યો છે ત્યારે જે કૃષિ પાકો ઊભા હશે અને ધાન્ય પાકોમાં નિઘલ અવસ્થામાં હશે તે પવનની પડી જત્તા બાજરી વગેરે તુટી રહેવાની શક્યતા રહેશે.

હમણા વિષમ હવામાન રહેશે અને હવામાનની વિપરીત અસરને કારણે કૃષિ પાકોમાં કાબરી ઈયળ અને લશ્કરી ઈયળ પડવાની શક્યતા રહેશે. ખેડૂતોભાઈઓએ પાક સરંક્ષણના પગલા લેવા સારા.

તા.૨૩મી સપ્ટેમ્બરથી ગરમી વધશે અને ખેતરમાં પડેલા પાથરામાં ઝેરી જીવજંતુઓ પડતા હોય છે એટલે આ વખતે વિષમ હવામાન છે અને શરદ ઋતુ રોગોની ઋતુ છે એટલે માલધરરી પોતાના પશુઓનું અને જનસમુદાયે સ્વસ્થયની કાળજી રાખવી સારી રહેશે.

Leave a Comment