Uttara Falguni Nakshatra: 13 સપ્ટેમ્બરથી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર બેસે છે, ત્યારે આ નક્ષત્રની કેવી અસર થશે? તે અંગે આગાહીકાર રમણીક વામજાની આગાહી સામે આવી છે. આ નક્ષત્રમાં વરસતો વરસાદ ઝેરી હોવાની આગાહી રમણીક વામજાએ કરી છે. ઝેરી વરસાદ થવાથી પાક પર વિપરીત અસરો થઇ શકે તેમ જણાવ્યું હતું.
મોટેભાગે ઓતરા નક્ષત્ર સપ્ટેમ્બર મહિનાના મધ્ય ભાગમાં દર વર્ષે બેસતું હોય છે. મિત્રો સપ્ટેમ્બર મહિનાના મધ્ય ભાગમાં ગુજરાતનું પાછલા વર્ષોનું હવામાન જોઈએ તો, મોટેભાગે ખૂબ જ ભેજવાળું હવામાન જોવા મળતું હોય છે.
ઓતરા નક્ષત્રમાં બપોર બાદ અવાર નવાર મંડાણી વરસાદની શક્યતા ઊભી થતી હોય છે. હાઈ લેવલનું ટેમ્પરેચર આ દિવસોમાં રહેતું હોવાથી મોટેભાગે બપોર પછી ભારે પવન સાથે વરસાદ થતો જોવા મળતો હોય છે. ઓતરા નક્ષત્રમાં થતો વરસાદ મોટેભાગે તોફાની વરસાદ જોવા મળતો હોય છે.
આ પણ વાંચો: હાથિયો નક્ષત્ર અને ચિત્રા નક્ષત્રમાં વરસાદ જોગ, જાણો અંબાલાલ પટેલની નવરાત્રીમાં વરસાદની આગાહી
ઓતરા નક્ષત્ર લઈને એક કહેવત ખૂબ જ પ્રચલિત છે. જો વર્ષે ઓતરા તો ધાન ન ખાય કુતરા. ઓતરા નક્ષત્રના સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યના ઘણા વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે મંડાણી વરસાદની સંભાવના ખુબ જ જોવા મળશે.
તેમણે જણાવ્યું કે, ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ઝેરી વરસાદ વરસે છે, તેને લઇ પાક તેમજ બાગાયતી પાક પર પણ વિપરીત અસર થઇ શકે છે. હાલ મગફળી, કપાસ, ધાન્ય પાકોની સાથે સીતાફળ, રેમજ, ચીકુના પાક પર અસર જોવા મળી શકે છે. કેમ કે, આ નક્ષત્રનો વરસાદ ઝેરી હોય છે.

ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં બપોર બાદ વરસાદનું મંડાણ થઇ શકે છે. ખાસ કરીને સુરત, અમરેલી સહિત ગુજરાતમાં વરસાદ થઇ શકે છે. આ દરમિયાન 2થી 4 ઇંચ વરસાદનું અનુમાન કર્યું છે.
ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર 13 તારીખથી શરુ થઇ 26ના રોજ પૂરું થશે અને તેનું વાહન હાથી છે, ત્યારે રમણીક વામજાએ ખેડૂતોને અપીલ કરી છે કે પાણી હોય તો પાન આવવા દેવું. કેમ કે, પાછોતરો વરસાદ થવાથી પાકને પાણીની જરૂરિયાત ઉભી થશે.
સાથે જ તેમણે ખેડૂતોને ટાઢક મળે તેવી પણ આગાહી કરી છે. 26 તારીખથી હાથિયો નક્ષત્ર બેસે છે. જે દરમિયાન ગાજવીજ સાથે 2થી 10 ઇંચ વરસાદ ગુજરાતમાં થઇ શકે છે. નવરાત્રીમાં પણ વરસાદનું જોર રહેશે. સાથે શિયાળું પાક મબલક થશે. હજુ વરસાદ 7 ઓક્ટોબર સુધી થશે, તેવું અનુમાન વ્યક્ત કર્યું છે. સાથે પછી ચિત્રા નક્ષત્રમાં પણ વરસાદ પુનમ સુધી વરસી શકે તેવું અનુમાન વ્યક્ત કર્યું