Mohanbhai Dalsania prediction: આજથી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર બેસી રહ્યું છે, ત્યારે વાદળોમાં થતાં ફેરફાર ભડલી વાક્યોને લઈ અનેક આગાહીકારો આગાહી કરી રહ્યા છે. જૂનાગઢના મોહનભાઈ દલસાણીયાએ પણ 13 તારીખના રોજ બેસનારા નક્ષત્રને લઈ આગાહી કરી છે.
ઉત્તરા નક્ષત્રને લઈ તેમણે જણાવ્યું હતું કે, આ વરસાદમાં પાકનો ખૂબ બગાડ થાય. કેમ કે, પાક તૈયાર થઈ ગયો હોય તેના પર વરસાદ થતાં પાક બગડે છે. તેથી કહેવત છે કે, ‘જો વરસે ઉત્તરા તો ધાન ન ખાય કુતરા’ તે કહેવત પ્રમાણે જો વરસાદ થશે તો પાક બગડશે.
આ પણ વાંચો: જીરૂના બજાર ભાવ જાણીને પછી જ માર્કેટ યાર્ડમાં જજો
તેમણે કહ્યું કે, હું નથી માનતો કે ઉત્તરા નક્ષત્રનો વરસાદ સૌરાષ્ટ્ર બાજુ આવી શકે. દક્ષિણ ગુજરાત અને અમદાવાદ સુધી બહુ વરસાદ થશે. બંગાળની ખાડીમાં જે વાતાવરણ ઉભું થયું છે, તેની અસર 20 તારીખ આસપાસ આવશે. દક્ષિણ-પૂર્વ ગુજરાત થઇ, બનાસકાંઠા થઇ, તે સિસ્ટમ નબળી પડી જશે, તેવું અત્યારના સંજોગોમાં લાગે

સૌરાષ્ટ્રમાં અત્યારે પાણીની ખાસ જરૂર છે. ઉપલું માથલું કઠળ થઇ ગયું છે. એટલે ફૂંવારા મૂકીને પાવીએ દઇએ તોય જમીન પોચી પડી જાય. ખાલી અડધો ઇંચ જ વરસાદ જોઇએ છે. જો નક્ષત્ર બદલાતા આટલો વરસાદ સૌરાષ્ટ્રમાં આવી જાય તો ફાયદો થઇ જશે.
તેમણે કહ્યું કે, 2-3 તારીખે નારતા શરૂ થાય છે. એટલે હાથીયાની અંદર બહુ વરસાદ થશે, તેવું અત્યારે લાગે છે. 7થી 11 તારીખ સુધીમાં સૌરાષ્ટ્રમાં બહુ જ વરસાદ થશે. પૂર કાઢી નાંખશે તેવો વરસાદ થશે, એવું મારું અનુમાન છે. એટલે હાથીયામાં એક વરસાદ