Vanjhar Cyclone in the state: રાજ્યની માથે ચક્રાવત વણઝાર નો ખતરો, આગામી તારીખોમાં ભુક્કા બોલાવશે વરસાદ

Vanjhar Cyclone in the state: પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં પાછોતરા વરસાદની આગાહી કરી છે.

તેમના મતે, 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. 5 ઓક્ટોબર આસપાસ દરિયાકિનારે પવનનું જોર વધુ રહેશે.

વધુમાં, 10થી 13 ઓક્ટોબર વચ્ચે વરસાદની શક્યતા છે.અને બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું સક્રિય થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન ‘વણઝાર’ નામનું ચક્રવાત શરૂ થવાની સંભાવના છે, જે પાછોતરા વરસાદનું કારણ બની શકે છે.

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે 10 ઓક્ટોબરથી ચિત્રા નક્ષત્ર શરૂ થાય છે. આ સમયગાળા દરમિયાન, ખાસ કરીને 10થી 13 ઓક્ટોબર વચ્ચે, બંગાળની ખાડીમાં વાવાઝોડું બનવાની શક્યતા છે.

આના પરિણામે ચિત્રા નક્ષત્ર દરમિયાન પણ વરસાદ થઈ શકે છે. નવરાત્રિ ઉત્સવ દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હાથીયા નક્ષત્ર દરમિયાન ભારે ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે, જ્યારે ચિત્રા નક્ષત્રમાં વધુ વરસાદી ઝાપટાં પડી શકે છે. ગુજરાતમાં 1 જૂનથી જ ભારે વરસાદ નોંધાયો છે.

અંબાલાલ પટેલે વધુમાં ઉમેર્યું કે 17 અને 18 સપ્ટેમ્બરે એક વાતાવરણીય સિસ્ટમ બનશે અને 22 સપ્ટેમ્બરે બીજી એક સિસ્ટમ સક્રિય થશે.

આના કારણે 21થી 26 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે હજુ વરસાદની સીઝન પૂરી થઈ નથી અને આ સાથે ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા પણ છે.

આગામી બે દિવસ, એટલે કે 17 સપ્ટેમ્બર સુધીમાં, ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.

આમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી

તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા છે.

બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઓછું છે. બીજી તરફ, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદે વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે.

ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે. જો આગામી દિવસોમાં પાછોતરો વરસાદ થશે તો તે વધુ નુકસાન પહોંચાડી શકે છે. આ સમય ખેડૂતો માટે ખરીફ પાકની કાપણીનો છે અને આ સમયે ભારે વરસાદ ઊભા પાકને નુકસાન પહોંચાડી શકે છે.

Leave a Comment