Farewell to Monsoon: ચોમાસાની વિદાઈ પહેલા દક્ષિણ ગુજરાતને ઘમરોળશે મેઘરાજા, જાણો પરેશ ગોસ્વામીની નવી આગાહી

Farewell to Monsoon: ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ બની રહ્યો છે. આ અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા અગાઉ સંભાવનાઓ વ્યક્ત કરી હતી કે સપ્ટેમ્બરના અંતમાં વરસાદી માહોલ રહી શકે છે.

હવે તેમણે વરસાદની શક્યતાઓ સાથે વધુ કેટલીક માહિતી હવામાનને લગતી આપી છે. પરેશ ગોસ્વામીએ સપ્ટેમ્બરના અંતમાં વરસાદની સાથે હવામાનમાં આવનારા પલટાની વિગતો જણાવી છે જેમાં ઉકળાટ વધવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.

આ પણ વાંચો : છત્રી રેઇનકોટ તૈયાર રાખજો, આવી ગઈ અંબાલાલ પટેલની આગાહી, જાણો ક્યારે વરસાદ શરૂ થશે?

પરેશ ગોસ્વામીએ શુક્રવારે સાંજે કરેલી આગાહીમાં જણાવ્યું છે કે, સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતાઓ છે. આ સિવાય રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં 32થી 35 ડિગ્રી સુધીના ગાળામાં તાપમાન ચાલી રહ્યું છે. કેટલાક ભાગોમાં તાપમાન 35 ડિગ્રીને પાર જતા તાપમાનમાં વધારો થયો છે.

હવામાન નિષ્ણાત કહે છે કે, હાલ પવનની ગતિ સામાન્ય છે, આવામાં શુક્રવારથી ગરમી અને ઉકળાટમાં જે વધારો થયો છે તે આગામી 25 સપ્ટેમ્બર સુધી યથાવત રહે તેવી શક્યતાઓ છે. ભેજના કારણે આગામી દિવસોમાં ગરમી, ઉકળાટ અને બફારો પરેશાન કરી શકે છે અને દિવસેને દિવસે તેમાં વધારો પણ થઈ શકે છે.

હજુ પણ તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ છે, પરંતુ સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં જે વરસાદની સંભાવનાઓ છે, આવામાં જે વિસ્તારમાં વરસાદ થશે ત્યાં ઉકળાટમાં ઘટાડો થવાની શક્યતાઓ છે.

આગળ તેમણે જણાવ્યું કે, વરસાદનો રાઉન્ડ પૂર્ણ થયા બાદ ફરી પાછો ઉકળાટ અને બફારો અનુભવાશે, શિયાળો શરુ થાય ત્યાં સુધીમાં ઉકળાટ તેનું રૌદ્ર સ્વરૂપ બતાવે અને ગરમીનું પ્રમાણ વધવાથી કેટલાક રેકોર્ડ પણ તૂટી શકે છે.

Leave a Comment