Hast nakshatra prediction 2024: ગુજરાત રાજ્યમાં આજથી હાથી નક્ષત્રની શરૂઆત થશે. આજે એટલે કે 26 તારીખથી લઈને 10 ઓક્ટોબર સુધી હાથી નક્ષત્ર ચાલશે. હાથી નક્ષત્રનું વાહન મોરનું છે. આજે રાત્રે 12 અને 11 મિનિટે આ નક્ષત્ર શરૂ થશે.
હસ્ત એટલે કે હાથીડા નક્ષત્ર વિશે પ્રખ્યાત લોકવાયકા શું છે?
“જો વરસે હાથિયો તો મોતીએ પુરાય સાથીયો”
” હાથિયો વરસે હાર, તો આખું વરસ પાર“
એટલે હાથીયા નક્ષત્ર વિશે એવું કહેવાય છે કે હાથીયા નક્ષત્રમાં સારો વરસાદ પડે તો કુવા-બોરમાં અને તળાવમાં પાણી ભરાઈ જતા હોય છે જેમને કારણે એ પાણીથી આખું વર્ષ પિયત માટે ઉપયોગમાં લઇ શકાતું હોય છે એટલે આખું વર્ષ પિયત ને કારણે પાર થતું હોય છે.
આ પણ વાંચો : ચોમાસુ વિદાય વેળાએ ધબડાસટી બોલાવશે, જાણો કયા વિસ્તારને ઘમરોળશે મેઘો
શું હસ્ત નક્ષત્રમાં વરસાદ પડે એ ફાયદાકારક ગણાય કે નુકસાનકારક?
જો હસ્ત નક્ષત્રમાં વરસાદ પડે એ ક્યારેક ફાયદાકારક પણ ગણવામાં આવે છે અને ક્યારેક નુકસાનકારક પણ ગણવામાં આવે છે.
જેમકે ક્યારેક છેલ્લે છેલ્લે ભારે વરસાદ પડવાને કારણે ખેડૂતોના પાકતા પાકો હોય છે એમને નુકસાન થતું હોય છે. તો ક્યારેક જે વર્ષે શરૂઆતમાં ઓછો વરસાદ થયો હોય તો એ વર્ષે પાછળથી ભારે વરસાદ પડતા પિયત માટે પાણીનો સંગ્રહ તે વર્ષે કરી શકાય તે માટે આ નક્ષત્રમાં વરસાદ સારો ગણવામાં આવે છે.
આમ પાકતા પાકો માટે નુકસાનકારક અને ઓછા પાણીની અછતમાં પાણીના સંગ્રહ માટે ફાયદાકારક વરસાદ ગણવામાં આવે છે.
હાથી નક્ષત્રમાં વરસાદના યોગ પ્રમાણે કહેવત શું કહે છે?
કહેવાઈ છે કે, હાથી ત્રણ પગ (3 દિવસ) ઊંચા કરી લે પછી વાંધો ના આવે એટલે કે ભારે વરસાદ નાં જોવા મળે. પરંતુ ઘણી વાર છેલ્લે છેલ્લે વરસાદ પડે ત્યારે એવું કહેવામાં આવતું હોય છે કે, હાથી પુછડી ફેરવતો ગયો.

મતલબ ઘણી વખત છેલ્લે ભારે વરસાદ પડી જતો હોય છે. હાથિયા નક્ષત્રમાં તીવ્ર કડાકા-ભડાકા સાથે વરસાદ પડતો હોય છે.
હસ્ત નક્ષત્રમાં વરસાદના સંજોગો?
સામાન્ય રીતે હસ્ત નક્ષત્રમાં વરસાદી માહોલ બપોર પછી બંધાતો હોય છે. બપોર પછી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની એક્ટિવિટી અલગ અલગ વિસ્તારોમાં શરૂ થતી હોય છે.
એટલે કે હાથી નક્ષત્રમાં કડાકા ભડાકા અને ગાંજવીજ વાળો વરસાદ જોવા મળતો હોય છે. સાંજના સમયે વરસાદનું પ્રમાણ વધારે જોવા મળતું હોય છે. જે વિસ્તારોમાં કડાકા ભડાકા વધારે થાય ત્યાં વધારે વરસાદ પડવાની પણ સંભાવના રહેલી હોય છે.
હસ્ત નક્ષત્ર શરૂ થતાની સાથે જ ચોમાસા વિદાયની શરૂઆત થતી હોય છે. જેમને કારણે બંગાળના ઉપસાગરો અને અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાવાના કિસ્સાઓ બનતા હોય છે. કેમ કે દેશમાં હવાનું હળવું દબાણ અને ગરમીને કારણે વાવાઝોડા આવતા હોય છે.
સામાન્ય રીતે ચોમાસાની શરૂઆતના મહિનામાં અને ચોમાસુ પૂર્ણ થતું હોય ત્યારે વાવાઝોડા સર્જાતા હોય છે. એટલે કે હાથી નક્ષત્રમાં વાવાઝોડા બનવાની પણ સંભાવના રહેલી હોય છે.