અંબાલાલ પટેલની આગાહી: નવરાત્રીમાં ગરબાની મોજ વચ્ચે વરસાદને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં હવે નવરાત્રી દરમિયાન ખેલૈયાઓના રંગમાં વરસાદ ભંગ પાડશે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 12 ઓક્ટોબર સુધી વરસાદ પડવાની આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. આ સાથે સૌરાષ્ટ્રના જૂનાગઢ અને અમરેલીમાં છૂટોછવાયો વરસાદ પડશે.
આ પણ વાંચો : બફારા અને ઉકળામણ વચ્ચે વરસાદની આગાહી, જાણો આગામી 5 દિવસમાં ક્યાં પડશે વરસાદ?
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વરસાદને લઈ ફરી એકવાર આગાહી સામે આવી છે. નવરાત્રી પૂર્ણ થવાની વચ્ચે વરસાદની આગાહી સામે આવતા ખેલૈયાઓ ચિંતામાં મુકાયા છે.
અંબાલાલની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના સુરત, વડોદરા, બોડેલીમાં વરસાદ વરસશે તો આહવા, ડાંગ વલસાડ અને નવસારીમાં વરસાદનું પ્રમાણ વધારે રહેશે. આ સાથે પંચમહાલ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે તો મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગરમાં પણ હળવો વરસાદ થઈ શકે. અંબાલાલની આગાહી પ્રમાણે 14 થી 22 ઓક્ટોબર દરમિયાન દરિયામાં તોફાન બનવાની શક્યતા છે.

12 થી 18 ઓક્ટોબરના વાવાઝોડું
આગાહી દરમિયાન અંબાલાલ પટેલે જણાવ્યું હતુ કે સામાન્ય રીતે ઓક્ટોબર મહિનામાં વાવાઝોડાં બંગાળના ઉપસાગરમાં બનતાં હોય છે.
પરંતુ ચાલુ વર્ષે ઓક્ટોબર મહિનામાં અરબ સાગરમાં પણ વાવાઝોડું બનવાની શક્યતા રહેશે. 2 ઓક્ટોબર સુધીમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે અને 12 થી 18 ઓક્ટોબરના વાવાઝોડું સક્રિય થવાની શક્યતા છે.