Ambalal Patel chitra nakshtra: ફાગણ મહિના સુધી આવશે માવઠા, જાણો અંબાલાલ પટેલની શું છે નવી આગાહી

Ambalal Patel chitra nakshtra: અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના ઘણા ભાગોમાંથી ચોમાસાની વિદાય થવા છત્તા પણ હાલમાં મૌસમ પછીનો વરસાદ પડી રહ્યો છે.

આ માટે બંગાળના ઉપસાગરમાં બનતી સિસ્ટમ કારણભૂત છે. અરબ સાગર અને બંગળના ઉપસાગર ઉપર એક પછી એક સિસ્ટમ બની રહે છે, તેથી ટ્રોપિકલ સ્ટ્રોમ બની રહ્યા છે તે અંગે જ્ઞાનના નવા દરવાજા ખોલ્યાં છે. આ બાબતનું ધ્યાન રાખવું પડશે.

આ પણ વાંચો: અંબાલાલ પટેલની 16 થી 22 ઓકટોબર સુધીની આગાહી, જાણો હવે ક્યાં વિસ્તારમાં વરસાદ?

લા-નીનો બનવાની શક્યતા હોવા છત્તા હજી લા-નીનો બન્યો નથી. ગ્રાફીકલ પ્રદર્શન પણ બતાવે છેકે લા-નીનોની શક્યત બતાવવા છત્તા પણ હજી ક્યારે લા-નીનો ક્યારે આવશે તે કહેવુ મુશ્કેલ છે.

દક્ષિણ ગૌળાર્ધમાં પ્રવતતી સ્થિતિ, પૂર્વ-પશ્ચિમ મહાસાગરમાં જળવાયુંની સ્થિતિ, ઉત્તર ઓસ્ટ્રિલયા અને પૂર્વ ઓસ્ટ્રેલિયાની સ્થિતિ, વિષૃવત ઉપરનાં લો-પ્રેશરની સ્થિતિ, આફ્રીકાથી ચીન ભાગ સુધીની સ્થિતિ જોઈએ તો આ અંગે સામુહિક પેરામીટરો તટસ્થ હોવા છત્તા પણ ગુજરાતના ઘણા ભાગોમાં અતિવૃષ્ટિ થવામાં હતી.

હજી પણ અરબી સમુદ્રમાં આ સિસ્ટમોએ દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં ખેડૂતોના પાક ઉપર માઠી અસર કરી હોય તેવું જણાય છે. શરદ ઋતુમા થતી આ ગતિવિધિ ઘરઘરમાં રોગ પણ લાવી શકે છે.

હજી પણ ૧૪મી ૧૭ ઓકટોબરમાં વરસાદની શક્યતા-માવઠાની શક્યતા ગુજરાતમા છે ત્યારે
આગળમાં હવામાન શું કહેશે? તે કહેવું કોયડો બની ગયેલ છે.

Leave a Comment