Paresh Gauswami prediction 16 October: જગતનો તાત ખુશ થઈ જાય એવા સમાચાર, જાણો પરેશ ગોસ્વામીની આગાહી

Paresh Gauswami prediction 16 October: ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાએ વિદાય લઇ લીધી છે. ત્યારે ગુજરાતમાં આગામી સમયમાં વાવાઝોડાઓ બનશે અને તેના કારણે ગુજરાતમાં માવઠા આવશે તેમ હવામાન નિષ્ણાતોએ જણાવ્યુ હતુ.

જોકે, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની લેટેસ્ટ આગાહીમાં જણાવ્યુ છે કે, “આગામી સમયમાં વરસાદની જે શક્યતા હતી તે ઓછી થઇ રહી છે.” આ સાથે તેમણે આગામી બે દિવસ કયા કયા વિસ્તારોમાં માવઠા થશે તે અંગેની પણ આગાહી કરી છે.

આ પણ વાંચો : ફાગણ મહિના સુધી આવશે માવઠા, જાણો અંબાલાલ પટેલની શું છે નવી આગાહી

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની સોશિયલ મીડિયા ચેનલ પર મંગળવારે રાતે આગાહીનો વીડિયો મૂક્યો હતો. જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, “આજથી વરસાદની તીવ્રતા તથા વિસ્તારોમાં ઘટાડો થાય તેવી શક્યતા છે. 16થી 18 ઓક્ટોબર એમ ત્રણ દિવસ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો તથા દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની એક્ટિવિટી જોવા મળી શકે છે.

આ સાથે તેમણે જણાવ્યુ છે કે, “દરિયાઇ કાંઠાના વિસ્તારો જેમકે જામનગર, અમરેલી, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢના ભાગોમાં તથા દ્વારકાના ભાગોમાં તીવ્રતા જોવા મળી શકે છે.

એટલે કે દરિયાકાંઠાના વિસ્તારો સિવાયના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા ઘટી જશે અથવા તો એક બે સેન્ટરો પર વરસાદ પડે તેવી શક્યતા છે.

પરેશ ગોસ્વામીએ એમ પણ જણાવ્યુ છે કે, “કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો ઉપરાંતના વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાશે.

કેમકે જે ડીપ ડિપ્રેશન થવાનું હતુ તે ડિપ્રેશન સુધીની કેટેગરી આવી અને હવે આ સિસ્ટમ આપણાથી ઘણી દૂર નીકળી ગઇ છે. હવે આ તીવ્રતામાં ઘટાડો થશે.

આગોતરા અંદાજ તરીકે જે કહી રહ્યા હતા કે 21-22 ઓક્ટોબરના વરસાદ પડશે તેની શક્યતા હવે ઘણી ઓછી દેખાઇ રહી છે. એવું લાગી રહ્યું છે કે, વરસાદ ઓછો આવશે કે નહીં આવે.

તેનું મુખ્ય કારણ છે કે, આજથી એન્ટી સાયક્લોન બને તેવા પરિબળો બની રહ્યા છે. રાજસ્થાન અને પાકિસ્તાનના અમુક વિસ્તારોમાં એન્ટી સાયક્લોન બની રહ્યા છે. જેથી સાયક્લોન સિસ્ટમ આ એન્ટી સાયક્લોન સિસ્ટમને કારણે ગુજરાતથી દૂર ખસી જાય અને આપણે વરસાદની તીવ્રતામાંથી બચી જઇએ તેવી પણ શક્યતા દેખાઇ રહી છે.

Leave a Comment