દાના વાવાઝોડુ એલર્ટ: દિવાળીના પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મહત્તમ તાપમાનમાં વધારો થતાં ગરમી અનુભવાઈ છે. તો હવે વરસાદ બાદ ઠંડી નહીં ગરમીથી સેકાવાનો વારો આવશે.
કંડલા પોર્ટ 38 ડિગ્રી સાથે રાજ્યનું પ્રથમ નંબરનું ગરમ મથક બન્યું હતું. કંડલા એરપોર્ટમાં 37.5 ડિગ્રી, ભુજમાં 37.4 ડિગ્રી અને નલિયામાં 37.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ચારેય મથકોનું લઘુત્તમ તાપમાન 23થી 26 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું.
ત્યારે હવામાન વિભાગે વરસાદ, તાપમાન અંગે શું આગાહી કરી છે તે જોઈએ. તો બીજી બાજુ શનિવારે સવારે કોલકાતાથી સુરત આવતી અને પછી ફરી સુરતથી કોલકાતા જતી ફ્લાઈટને દાના વાવાઝોડાની અસરને કારણે રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

ગુરુવારે અમદાવાદ કેન્દ્રના હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે. રાજ્યનું મહત્તમ તાપમાન ત્રણથી ચાર દિવસ માટે યથાવત્ રહેશે.
આ સાથે તેમણે જણાવ્યું કે, અમદાવાદનું મહત્તમ તાપમાન 36.4 સામાન્ય કરતાં 1.4 ડિગ્રી વધુ નોંધાયું છે. જ્યારે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગુજરાતમાં અત્યારે ઉત્તર- પૂર્વ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે. તો તેમણે દાના વાવાઝોડા અંગે જણાવ્યું હતું કે, જે વાવાઝોડું બન્યું છે તેની ગુજરાત પર ચેતવણીની હવામાન વિભાગ તરફથી હજી સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી. એટલે કે ગુજરાત માટે કોઈ ચેતવણી આપવામાં નથી આવી.
બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાન દાના ત્રાટક્યું છે. તેની અસરને કારણે પશ્ચિમ બંગાળ અને ઓડિશા રાજ્યોમાં 120 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે તેવી સંભાવના છે. એટલું જ નહીં ભારેથી અતિ ભારે વરસાદ પણ થઈ શકે છે. એટલે બંને રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
દાના વાવાઝોડું લગભગ માત્ર આ બે રાજ્યોના 14 જિલ્લાઓને સીધી અસર કરી શકે છે. તેથી આ જિલ્લાઓમાં તમામ શાળાઓ અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. સાઉથ ઈસ્ટ રેલવેએ 150 ટ્રેનો રદ કરી છે, ઈસ્ટ કોસ્ટ રેલવેએ 198 ટ્રેનો રદ કરી છે, ઈસ્ટર્ન રેલવેએ 190 ટ્રેનો રદ કરી છે, દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેએ 14 ટ્રેનો રદ કરી