Potato Market: ખેડૂતોને ખેતર બેઠા બેઠા મણના 230 રૂપિયા ભાવ, શું હવે બટેટાના ભાવ વધશે કે ઘટશે?

Potato Market: બટાટા રસોડાની શાકભાજી પાકોની યાદીમાં શીરમોર કહી શકાય. વિતેલ ૨૦૨૪નાં વર્ષ દરમિયાન બટાટાની બજારે ખેડૂતોની ભેર તાણી હતી, એટલે આ વખતની સિઝન દરમિયાન ઉત્તર ગુજરાતનાં ખેડૂતોનું ફરી એક વખત ધ્યાન બટાટા વાવેતર તરફ વાળ્યું છે.

આગતરા પાક તરીકે વવાયેલ ખાસ પુંખરાજ બટાટુ ખોદાઇને માર્કેટમાં આવી રહ્યું છે. તેનો જથ્થાબંધ પ્રતિ ૨૦ કિલો રૂ.૨૦૦ થી રૂ.૨૫૦ ભાવ છે.

પણ વાંચો : હજી સ્વેટર ગોદડા મુકી ન દેતા, અંબાલાલ પટેલની હાડ થીજાવતી આગાહી

ડિસા મથકેથી બટાટાનાં વેપાર સાથે સંકળાયેલ અગ્રણી ટ્રેડર્સ કહે છે કે ૧૫-૨૦ દિવસ પછી માર્કેટમાં ખ્યાતી અને કોલંબો વેરાઇટીનું બટાટુ આવશે. મહિના પછી બાદશાહ બટાટા તૈયાર થઇને દેખાશે.

પુંખરાજ, ખ્યાતી, કોલંબો અને બાદશાહ વેરાઇટીનાં બટાટા ખાસ શાકભાજી તરીકે વેચાય છે અને નીચા ભાવ હોય તો કોલ્ડમાં પણ મુકાતા હોય છે. ડિસા મથકેથી દરરોજ ૨૦૦ ગાડી જેટલા બટાટા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા મોટા સેન્ટરમાં મોકલાઇ રહ્યાં છે.

ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા થી છેક ખેડા સુધીનો પટ્ટો બટાટા વાવેતરનું હબ કહેવાય છે. એમાંય બનાસકાંઠા જિલ્લો બટાટા વાવેતરમાં કાયમ શિરમોર હોય છે. ચાલું વર્ષે રાજ્ય સરકારનાં કૃષિ વિભાગ દ્રારા નોંધાયેલ ૨૦, જાન્યુઆરીનાં આખરી આંકડા મુજબ એકલા બનાસકાંઠામાં ૫૨૧૦૦ હેકટરમાં બટાટા વવાયા છે.

ગુજરાતનું કુલ બટાટા વાવેતર ગત વર્ષની તુલનાએ ૧૬ ટકા વધીને ૧.૫૬ લાખ હેકટર વિસ્તારે છે. ગત વર્ષે આ સમયે ૧.૩૫ લાખ હેકટરમાં બટાટા હતા.

Leave a Comment