ધીરજભાઈ પાનસુરીયાની આગાહી: તારીખ વાઇઝ ધીરજભાઈ પાનસુરીયાએ કરી વરસાદની આગાહી

ધીરજભાઈ પાનસુરીયાની આગાહી: રાજ્યમાં વરસાદને લઈ વર્ષા વિજ્ઞાનનાં જાણકાર ધીરજભાઈ પાનસુરીયાએ જણાવ્યું છે કે રાજ્યમાં 11 જૂનથી વરસાદની વિધિવત શરૂઆત થવાની આગાહી કરી છે. તેમજ વર્ષા વિજ્ઞાનનાં જાણકાર ધીરજભાઈ પાનસુરિયાએ આગાહી કરી છે કે ચાલુ સીઝનમાં 55 ઈંચ જેટલો વરસાદ થાય તેવી સંભાવનાં છે. તેમજ આ સીઝનમાં 14 આની વરસાદ થશે. આ વર્ષે પાછોતરો વરસાદ વધુ હશે. તેમજ દિવાળી સમયે માવઠું થઈ શકે છે. તેમજ 10 ઓક્ટોમ્બરે ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લેશે

વર્ષા વિજ્ઞાનનાં જાણકાર ધીરજભાઈ પાનસુરીયાએ જણાવ્યું હતું કે, ચોમાસાની શરૂઆત 11 જૂનથી થશે. તેમજ ખેડૂતો માટે વાવણીનો સમય 19 જૂનથી 30 જૂન સુધીનો રહેશે.

આ પણ વાંચો: આજથી રોહિણી નક્ષત્ર શરૂ, જાણો શું છે પ્રાચીન વર્ષા વિજ્ઞાન આધારિત લોક માન્યતા

તારીખ મુજબ વરસાદની આગાહી
જુન : 10 થી 15, 19 થી 30
જુલાઈ : 5 થી 7, 22 થી 24
ઓગસ્ટ : 1 થી 11, 15 થી 26
સપ્ટેમ્બર 3 થી 11 , 26 થી 30
ઓકટોબર : 1 થી 8

વર્ષા વિજ્ઞાનનાં જાણકાર ધીરજભાઈ પાનસુરીયાએ જણાવ્યું હતું કે આ વર્ષે 14 આની વરસાદ થશે. તેમજ કુલ 30 થી 55 ઈંચ વરસાદ થશે. જ્યારે આ વર્ષે પાછોતરો વરસાદ વધુ રહેશે. તેમજ દિવાળી સમયે માવઠાની શક્યતા રહેલી છે. તેમજ 10-10-2024 નાં રોજ ચોમાસું ગુજરાતમાંથી વિદાય લેશે.

Leave a Comment