આજથી રોણ (રોહિણી) બેઠી, કેટલા દિવસ નક્ષત્ર? જાણો શું છે વરસાદ અને વાવણી ની આગાહી

રોહિણી: આજથી રાજ્યમાં રોહિણી નક્ષત્ર ચાલુ થઈ રહ્યું છે. 6 જૂન 2024 સુધી સૂર્યનો રોહિણી નક્ષત્રમાં પ્રવેશ થતો રહેશે. એટલે કે 6 જુન 2024 સુધી આ નક્ષત્ર ચાલશે.

રોહિણી નક્ષત્રમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થતો હોય છે. આ નક્ષત્ર માં કુંડાળા સ્વરૂપે વરસાદ પડતો હોય છે. 5 થી 15 કિલોમીટરની ત્રિજ્યા માં વરસાદ પડતો હોય છે.

આ પણ વાંચો: ધીરજભાઈ પાનસુરીયાની આગાહી: તારીખ વાઇઝ ધીરજભાઈ પાનસુરીયાએ કરી વરસાદની આગાહી

રોહિણી નક્ષત્રમાં નિશ્ચિત વિસ્તારોમાં વરસાદ પડે છે. એક સાથે વાવણી લાયક વરસાદ પડતો નથી. જ્યાં વરસાદ પડે ત્યાં તીવ્ર ભડાકા ભડાકા જોવા મળતા હોય છે.

સામાન્ય રીતે વરસાદની શરૂઆત થાય તે પહેલા રોહિણી નક્ષત્ર નો પ્રારંભ થતો હોય છે. કૃતિકા ભરણી અને ત્યાર પછી આ નક્ષત્ર આવે છે. ભારે કે વાવણી લાયક વરસાદની સંભાવના આ નક્ષત્રમાં હોતી નથી.

આ નક્ષત્ર દરમિયાન પવનની ગતિ સાથે પણ વરસાદ પડતો હોય છે એટલે મીની વાવાઝોડાને સંભાવના રહેલી છે. ખેડૂત મિત્રો એવું કહે છે કે આ નક્ષત્રમાં વરસાદ પડે તો વર્ષ સારું જાય છે.

અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ચોમાસા પહેલાની એક્ટિવિટી આ નક્ષત્રમાં જોવા મળતી હોય છે. એટલે કે બંગાળની ખાડી અને અરબ સાગરમાં વાવાઝોડા બનતા હોય છે.

રોહિણી નક્ષત્ર ના ચાર પાયા હોય છે જેને આધારે કયા પાયામાં કેટલો વરસાદ પડશે એના પરથી ચોમાસાનુ અનુમાન લગાવવામાં આવતું હોય છે.

છેલ્લે કૃતિકા નક્ષત્રમાં આવતું થયું હતું એટલે ખેડૂતો માની રહ્યા છે કે આ વર્ષે સારા ચોમાસાના સંકેત છે. તેવી જ રીતે આ નક્ષત્રમાં વરસાદ પડશે તો પણ સારા ચોમાસાના સંકેતો ગણાશે.

વધારે આ પણ વાંચો: આજથી નવું નક્ષત્ર શરૂ, જાણો શું છે પ્રાચીન વર્ષા વિજ્ઞાન આધારિત લોક માન્યતા

સામાન્ય રીતે 15 તારીખ બાદ વાવણી લાયક વરસાદ પડતો હોય છે. જોકે આ વર્ષે આગાહીકારો વહેલાં વાવણી થઈ જશે તેવું જણાવી રહ્યા છે.

Extra tag– ચોમાસું ક્યારે બેસે 2024,  gujarat ma varsad ni agahi 2024, વરસાદની આગાહી તારીખ 2024, when will monsoon start in kerala 2024, વરસાદ ના નક્ષત્ર 2024, રોહિણી નક્ષત્ર ક્યારે બેસે 2024, રોહિણી નક્ષત્ર ક્યારે બેસે, ચોમાસું ક્યારે બેસે 2024, નક્ષત્ર 2024, વરસાદના નક્ષત્ર 2024, varsad na nakshatra 2024, વરસાદની આગાહી તારીખ 2024

Leave a Comment