ગુજરાતમાં વાવાઝોડુ: અંબાલાલે ગુજરાતમાં આંધી-વંટોળ, ભારે પવન અને વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. અંબાલાલ અનુસાર જૂન માસના બીજા અઠવાડિયાના પ્રારંભથી રાજ્યના ઘણાં ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે.
અંબાલાલે દક્ષિણ ગુજરાત, દક્ષિણ-પશ્ચિમ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના ભાગોના હવામાનમાં પલટો આવવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતાઓ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.
અંબાલાલ અનુસાર, 6 જૂન સુધીમાં ગુજરાતના વિવિધ ભાગોમાં આંધી-વંટોળ આવશે. જેમાં કેટલાક ભાગોમાં પવનની ગતિ પ્રતિકલાક 40 કિલોમીટરની રહી શકે છે. જેમાં તેમણે આંચકાના પવનની પણ સંભાવનાઓ વ્યક્ત કરી છે.
અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમની અસરથી 9, 10, 11 અને 12 જૂન દરમિયાન મહારાષ્ટ્ર અને ગુજરાતમાં થવાની સંભાવના છે. આ દરમિયાન મુંબઈ સહિત મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે.
અંબાલાલે અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમની વાત કરીને દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને અમદાવાદ સહિત ગુજરાતના મધ્ય ભાગમાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે.
અંબાલાલના જણાવ્યા અનુસાર, તારીખ 15 જૂન સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં વાવણી લાયક વરસાદ થવાની શક્યતાઓ છે. આ રાજ્યના ખેડૂતો માટે ખુશીના સમાચાર છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ચોમાસું 15 જૂન આસપાસ બેશી જશે. જોકે, આ પહેલા દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડશે. વિસ્તારની વાત કરીએ તો દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, નવસારી, તાપી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની સાથે વંટોળ ફૂંકાઈ શકે છે.
ચોમાસા પહેલાં અને ચોમાસા બાદ ભારતના દરિયામાં વાવાઝોડાં સર્જાતાં હોય છે, તેમાં બંગાળની ખાડીમાં અરબી સમુદ્ર કરતાં વધારે વાવાઝોડાં સર્જાય છે.
તાજેતરમાં જ બંગાળની ખાડીમાં વાવાઝોડું રીમાલ સર્જાયું હતું, જે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના વિસ્તારો પર ત્રાટક્યું હતું.

હાલની સ્થિતિ પ્રમાણે અરબી સમુદ્ર તરફ ચોમાસું સક્રિય છે અને સતત આગળ વધી રહ્યું છે. આ સાથે જ કેટલીક જગ્યાએ અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાવાના સમાચાર મળી રહ્યા છે.
હવામાન વિભાગ તરફથી વાવાઝોડાની કોઈ માહિતી આપવામાં આવી નથી. ઉપરાંત હવામાનનાં મોટા ભાગનાં મૉડલો પણ દર્શાવતાં નથી કે અરબી સમુદ્રમાં કોઈ મજબૂત સિસ્ટમ બનશે.
આ પણ વાંચો : અંબાલાલની ભયાનક આગાહી: પાકિસ્તાન તરફથી આવશે આંધી તોફાન, નક્ષત્રો પ્રમાણે નવી આગાહી
યુરોપિયન સેન્ટર ફૉર મિડિયમ રેન્જ વેધર ફૉરકાસ્ટ (ECMWF) એવું દર્શાવી રહ્યું છે કે 9 કે 10 જૂનની આસપાસ મહારાષ્ટ્રના દરિયાકિનારા પાસે એકાદ સિસ્ટમ સર્જાશે.
જોકે, આ મૉડલ પણ એવું દર્શાવી રહ્યું નથી કે આ સિસ્ટમ દરિયામાં વધારે આગળ વધશે અને તેના કારણે વાવાઝોડું સર્જાશે.
હાલ ગુજરાત પર કોઈ વાવાઝોડાનો ખતરો દેખાતો નથી, પરંતુ રાજ્યમાં થોડા જ દિવસોમાં હવે વરસાદ શરૂ થવાની શક્યતા દેખાઈ રહી છે.