Aagahi no melo: આ વર્ષે કેવું રહેશે ચોમાસુ? જાણો આગાહીના મેળામાં શું આવ્યુ તારણ?

Aagahi no melo: ચોમાસું કેવો રહેશે તેને લઈ હવામાન નિષ્ણાંતો આગાહી કરતા હોય છે પરંતુ છોટા ઉદેપુરમાં અનોખી પરંપરા જોવા મળી છે. જ્યાં 10થી 12 ગામના લોકો ભેગા થઈને વરસાદનો વરતારો જોતા હોય છે. છોટાઉદેપુર જિલ્લાના કોલી ગામે વૈશાખના પ્રથમ દિવસે “આગાહીના મેળામાં” 10થી 12 ગામના લોકો ભેગા મળીને વરસાદનો વરતારો જાણે છે.

છોટાઉદેપુર જિલ્લાનું કોલી એક એવું ગામ છે, જે ગામમાં સદીઓથી વૈશાખ મહિનાના પડવાની સવારે આવનાર ચોમાસામાં વરસાદ કેવો રહેશે તે અંગેની આગાહીનો મેળો (Aagahi no melo) ભરાય છે.

કોલી ગામના કણજી કોતરમાં અમાવસ્યાની સાંજે બે વેરીઓ ખોદી ખાખરાના પાનથી ઢાંકી દેવામાં આવે છે અને વૈશાખના પડવાની સવારે વેરી ઉપર ઢાકેલા ખાખરાના પાન લોકોની હાજરીમાં ખોલી વરસાદનો વરતારો જાણવામાં આવે છે.

જે તરફનું પાન ગરમ તે તરફ સારો વરસાદ
વર્ષોની માન્યતા મુજબ આગાહીના જાણકાર વડીલો ખાખરાના પાન પર હાથ મુકી આગાહી પારખે છે, જે તરફનું પાન ગરમ લાગે ત્યાં સારો વરસાદ પડશે તેવું અનુમાન લગાવવામાં આવે છે.

તે ઉપરાંત વેરીની રેતી ગરમ લાગે તો સારા વરસાદનું અનુમાન લગાવવામાં આવે છે અને આ વર્ષે પહેલા અને છેલ્લો સારો વરસાદ થશે અને ચોમાસાની વચ્ચે વરસાદ રોકાશે તેવી આગાહી જાહેર કરવામાં આવી છે. પ્રકૃતિ પૂજક આદિવાસી સમુદાયમાં આગાહીની વિધી થયાં બાદ જ ખાખરાના પાન અને કેરીઓ તોડી ભગવાનને ધરાવવામાં આવે છે

Leave a Comment