Ambalal Patel winter forcast: મિત્રો અત્યારે રાજ્યમાં ખેડૂતો વરસાદની એકીટશે રાહ જોઈ રહ્યા છે. હવે વરસાદનો નવો રાઉન્ડ ક્યારે શરૂ થશે તે બધા લોકો જાણવા માંગે છે. ત્યારે ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે સપ્ટેમ્બરમાં વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી કરી નાખી છે.
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટા પડતા ગ્રહોના જળદાયક નક્ષત્ર નાડીના યોગને જોતા 19 થી 22 સપ્ટેમ્બરના રાજ્યમાં વરસાદી ઝાપટા વધી શકે છે.
26 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં વરસાદી ઝાપટા રહેશે. આ સમયે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા રહી શકે છે. પરંતુ કોઈ મોટો વરસાદ નહિ પડે. 16 મી સપ્ટેમ્બરે બનેલી સિસ્ટમ 18 સપ્ટેમ્બર આસપાસ ઉત્તર પશ્ચિમ ભારત તરફ આગળ વધી જવાની છે.
આ પણ વાંચો : ચોમાસાએ વિદાઈ લીધી એવું ના સમજતા, હજી એક બે રાઉન્ડ બાકી, જાણો શું છે પરેશ ભાઈની આગાહી
એક વાવાઝોડું આવશે
ચોમાસુ ક્યારે વિદાઈ લેશે તે વિશે અંબાલાલે કહ્યું કે, 17 સપ્ટેમ્બર આસપાસ રાજસ્થાનના ભાગોમાં ચોમાસું વિદાય લેશે. જેથી તેના પશ્ચિમી પવનોનું જોર વધતા પૂર્વના પવનોને પાછળ ધકેલે છે.
27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી હસ્ત નક્ષત્ર એટલે કે હાથિયો નક્ષત્ર શરૂ થવાનું છે જેમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. આ સમયે પૂર્વનો પવન ફૂંકાશે. 10 થી 13 ઓક્ટોબર આસપાસ બંગળાના ઉપસગારમાં ચક્રવાતની શક્યતા છે.
શિયાળો હાહાકાર મચાવશે
એવામાં મિત્રો આગાહીકારે આ વર્ષના શિયાળા માટે પણ ચોંકાવનારી આગાહી કરી છે. તેમણે કહ્યું કે, આ વખતે શિયાળો વહેલો શરૂ થશે.

અલ નીનોની અસરના કારણે ભારત આસપાસનો દરિયો વધુ ઠંડો રહેશે. જેને કારણે 3 ડિસેમ્બરથી રાજ્યભરમાં ઠંડીનો કહેર વર્તાશે. 22 ડિસેમ્બરથી ઠંડીનો પ્રકોપ વધશે. આ વર્ષનો શિયાળો લાંબો પણ રહેશે.
દરિયો પણ ઠંડોગાર બનશે
2 સપ્ટેમ્બર, 2024 ના રોજ IMD એ કરેલી જાહેરાત અનુસાર, લા નીનાને કારણે તીવ્ર શિયાળો આવવાની શક્યતા છે. સામાન્ય રીતે, લા નીના એપ્રિલ અને જૂન વચ્ચે શરૂ થાય છે, ઓક્ટોબર અને ફેબ્રુઆરી વચ્ચે મજબૂત બને છે અને નવ મહિનાથી બે વર્ષ સુધી ચાલે છે.
તે સમુદ્રના પાણીને પશ્ચિમ તરફ ધકેલતા મજબૂત પૂર્વીય પવનો દ્વારા ચલાવવામાં આવે છે, જે સમુદ્રની સપાટીને ઠંડુ કરે છે. આ અલ નીનો સાથે વિરોધાભાસી છે, જે ગરમ પરિસ્થિતિઓ લાવે છે.
શિયાળુ પાક પર અસર પડશે
ભારતમાં વિવિધ પ્રદેશોમાં શિયાળાની તીવ્રતાની વિવિધ ડિગ્રીનો અનુભવ થવાની શક્યતા છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ અને કાશ્મીર જેવા ઉત્તરીય રાજ્યોમાં ખાસ કરીને ઠંડકની સ્થિતિ જોવા મળી શકે છે.
જેમાં તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઓછું થઈ શકે છે. વધુમાં, ઠંડા હવામાન અને વધેલા વરસાદનું સંયોજન ખેતી પર અસર કરી શકે છે, ખાસ કરીને એવા વિસ્તારોમાં જે શિયાળાના પાક પર આધાર રાખે છે.