Cyclone Alert: જેવી રીતે એકાદ બે વર્ષ પહેલાં બીપોરજોય વાવાઝોડું આવ્યું હતું તે લોકો ભૂલી નથી શક્યા, એવામાં હાલ ચોમાસાના આગમન પહેલા વધુ એક વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. પાંચ દિવસ બાદ બંગાળની ખાડીમાં સાયક્લોનિક સ્ટોર્મની શક્યતા છે. જેની ગુજરાતને પણ આંશિક રીતે અસર થવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર દક્ષિણ પશ્વિમ બંગાળની ખાડીમાં 22 મે આસપાસ લો પ્રેસર સર્જાશે અને 24 મેની આસપાસ બંગાળની ખાડીની મધ્યમાં તે ડીપ્રેશનમાં ફરેવાય તેવી શક્યતા છે.
જો આ વાવાઝોડું શક્તિશાળી બને અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તો ગુજરાત અને મહારાષ્ટ્રમાં 27 મે આસપાસ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
જો કે હજુ સુધી આ માટે કોઈ સ્પષ્ટ આગાહી મૌસમ વિભાગે કરી નથી. જો કે બીજી તરફ હવામાન વિભાગે 24 કલાકમાં બંગાળની ખાડીમાં તથા આંદામાન, નિકોબાર ટાપુઓમાં નૈઋત્યનું ચોમાસું આગળ વધવાની આગાહી કરવામાં આવી છે.
ચોમાસાના આગમન પહેલા, બંગાળની ખાડી પર એક લો પ્રેશર વિસ્તાર બનતો જોવા મળી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ 22 મેની આસપાસ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર તેની આગાહી કરી છે. તે જ સમયે, કેટલાક ફ્રીલાન્સ હવામાન આગાહી કરનારાઓનું કહેવું છે કે તેના કારણે ગંભીર ચક્રવાતની પણ સંભાવના છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ એક અહેવાલમાં આઈએમડીના હવામાનશાસ્ત્રના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાને ટાંકીને જણાવ્યું હતું કે, “નીચા દબાણના વિસ્તાર ચોમાસાને આંદામાન સમુદ્ર અને અડીને આવેલા બંગાળની ખાડી પર આગળ વધવામાં મદદ કરશે. જો કે, આનાથી કેરળમાં ચોમાસું આગળ વધશે. તેમણે કહ્યું કે આની અસર ઓડિશા, મહારાષ્ટ્ર અને ગુજરાત અને તેની આસપાસના રાજ્યો પર પડશે.
આ વેધર પેટર્ન પાછળથી ચક્રવાતમાં પરિવર્તિત થવાની સંભાવનાને નકારી શકાતી નથી, કારણ કે મેને ચક્રવાતની રચનાનો મહિનો ગણવામાં આવે છે. તે ચક્રવાતમાં ફેરવાશે કે નહીં તેની પુષ્ટિ કરવી ખૂબ જ વહેલું છે. જો ચક્રવાત રચાય છે, તો ચોમાસાની પ્રગતિ પર તેની અસરની હજુ સુધી આગાહી કરી શકાતી નથી, કારણ કે તે તેના ટ્રેક અને તીવ્રતા પર નિર્ભર રહેશે.