ચોમાસું : ભારત દેશમાં ચોમાસાની સત્તાવાર રીતે જાહેરાત જૂન મહિનામાં કેરળથી થાય છે. જોકે બીજા દેશોના દરિયા કિનારાના વિસ્તારોમાં હાલમાં ચોમાસાની એક્ટિવિટી ચાલુ થઈ ગઈ છે. 28 મે આસપાસ મ્યાનમાર દેશમાં ચોમાસુ બેસતું હોય છે પરંતુ આ વખતે ત્યાં ચોમાસામાં વિલંબ થાય તેવી આગાહી કરવામાં આવી રહી છે.
મ્યાનમારના રાષ્ટ્રીય આગાહીકારે પોતાની આગાહીમાં કહ્યું છે કે ચોમાસુ 9થી 14 જુનની વચ્ચે દેશમાં પહોંચવાની સંભાવના છે. બંગાળની ખાડીમાં ઉદ્ભવેલ વિક્ષેપને કારણે મ્યાનમારમાં ચોમાસુ મોડું પહોંચશે એટલે કે ચોમાસાના આગમનમાં વિલંબ થશે.
આ પણ વાંચો:- કિશોરભાઈ ભાડજાની આગાહી: વાવણી ની તારીખ સાથે વર્ષ 2024 નું ચોમાસું કેવું રહશે?
જ્યારે તેમણે આગાહીમાં કહ્યું છે કે અંદબાર નિકોબાર ટાપુ ઉપર 18 થી 20 મેના રોજ કેવી પરિસ્થિતિ સર્જાય છે તે જોવાનું રહેશે. જેને આધારે ચોમાસુ ક્યારે પહોંચશે તેમનું અનુમાન લાગશે.
ચોમાસુ શ્રીલંકામાં પહોંચે ત્યારબાદ એક સપ્તાહ પછી કેરળ થઈને ભારતને મુખ્ય ભૂમિ ઉપર પહોંચશે.
આ પણ વાંચો:- Skymet આગાહી/ ચોમાસાના 4 મહિનાની આગાહી, ચોમાસું મોડું આવશે? 2024માં કેટલો વરસાદ?
છેલ્લા વર્ષે મ્યાનમારમાં એક અઠવાડિયું કરતા વધુ સમય લઈને ચોમાસુ મ્યાનમારમાં પહોંચ્યું વાર હતું પરંતુ અંદમાન નિકોબાર ટાપુ ઉપર સામાન્ય સમયની સાથે ચોમાસે પહોંચ્યું હતું.
જેવી રીતે આ વર્ષે પણ ભારત કેરળ, શ્રીલંકા અને અંદબાર નિકોબાર ટાપુ ઉપર સમયસર ચોમાસુ પહોંચવાની આગાહી કરવામાં આવી રહી છે.
દર વર્ષે ગુજરાતમાં 15 જૂન આસપાસ ચોમાસુ પહોંચતું હોય છે આ વર્ષે અમુક આગાહી કારો કહી રહ્યા છે કે ચોમાસું વહેલું આવી શકે છે.
