આગાહી બદલી ગઈ: વરસાદ ત્રીજા દિવસથી ફરી થશે મહેરબાન, હવામાન વિભાગની 10 ઓગસ્ટ સુધીની આગાહી

આગાહી બદલી ગઈ: ગુજરાતમાં હાલ વરસાદ વિરામ લેવાનો હોય તેવું વાતાવરણ સર્જાઇ રહ્યુ છે. હાલ ગુજરાતમાં સિઝનનો કુલ સરેરાશ 67 ટકાથી વધારે વરસાદ નોંધાયો છે. ત્યારે આજે સવારથી રાજ્યમાં ઘણાં ઓછા વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ત્યારે ગુજરાતમાં આગામી પાંચ દિવસ કેવો માહોલ રહેશે તે અંગેની આગાહી હવામાન વિભાગે કરી છે તે જોઇએ. હવામાન વિભાગે માછીમારોને પાંચ દિવસ માછીમારી ન કરવાનો પણ આદેશ આપ્યો છે.

આ પણ વાંચો : હવે વરાપ નીકળી છે તો ખેતીકામ પતાવી લેજો, આ મહિને આવશે ધોધમાર વરસાદ

અમદાવાદ હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ગુજરાતમાં વરસાદ અંગેની પાંચ દિવસની આગાહી આપી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, આગામી પાંચ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદનું પૂર્વાનુમાન છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, આવનારા બે દિવસ માટે ગુજરાતમાં ગાજવીજની ચેતવણી છે. માછીમારોને આગામી પાંચ દિવસ માટે ચેતવણી આપવામાં આવી છે.

આગાહી બદલી ગઈ: રામાશ્રય યાદવે એમ પણ જણાવ્યુ છે કે, દક્ષિણ ગુજરાતમાં જે ઓફશોર ટ્રફ છે તે થોડો એક્ટિવ થઇ જશે જેના કારણે ત્રીજા અને ચોથા દિવસે ભારે વરસાદની શક્યતા છે.

મોસમ વૈજ્ઞાનિકે એમ પણ જણાવ્યુ કે, ત્રીજા દિવસે એટલે કે, 8મી ઓગસ્ટના દિવસે ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહીની સાથે યલો એલર્ટ આપવામાં આવી છે.

ચોથા દિવસે એટલે કે, 9મી ઓગસ્ટના દિવસે બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સાથે ગાજવીજની પણ ચેતવણી આપવામાં આવી છે.

Leave a Comment