ચોમાસાને લઈને ખેડૂતો માટે ખુશ ખબર: ચોમાસાને લઈને રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્યમાં ચોમાસું સારું રહેવાની હવામાન વિભાગની આગાહી છે. રાજ્યમાં એકથી બે દિવસ વહેલા ચોમાસાનું આગમન થઇ શકે છે.
જેને કારણે છેલ્લા કેટલાક દિવસથી પડતા આકરા તાપથી લોકોને રાહત મળી શકે છે. રાજ્યના કેટલાક વિસ્તારમાં હળવા વરસાદની સંભાવના છે. કેટલાક ભાગોમાં 20થી 25 KMની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
અઠવાડિયા બાદ પ્રિ-મોનસૂન એક્ટિવિટી શરૂ થશે. જેને કારણે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે.
ભારે પવનની શક્યતા
હવામાન વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર કેટલાક સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે. સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 42.1 ડિગ્રી તાપમાન નોંધાયું, અમદાવાદમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
આગામી સમયમાં ભારે પવનની શક્યતા છે. 20-25km ની ઝડપે પવન ફૂંકાશે ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવતા કચ્છ, સુરેન્દ્રનગરમાં આજે ભારે પવન ફૂંકાવવાની સાથે સાથે વંટોળ આવી છે.
ચાર જિલ્લાઓમાં આજે પવનની ગતિ વધુ રહેશે, 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. બનાસકાંઠા, પાટણમાં ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ છે.

અમદાવાદ, મધ્ય ગુજરાત, ઉત્તર સૌરાષ્ટ્ર, બનાસકાંઠા વિસ્તારમાં પવનની ગતિ આંધી વંટોળ સાથે 30 કિલોમીટર સુધી રહેવાની શક્યતા છે.
રાજ્યમાં એકથી બે દિવસ વહેલા ચોમાસાનું આગમન થઇ શકે છે. જેને કારણે છેલ્લા કેટલાક દિવસથી પડતા આકરા તાપથી લોકોને રાહત મળી શકે છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે રાજ્યના હવામાન અંગે માહિતી આપતાં જણાવ્યું કે, આવતા અઠવાડિયાથી અનુમાન છે કે ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી ચાલુ થઇ જશે.
જેના કારણે ઘણી જગ્યાએ હળવો વરસાદ જોવા મળી શકે છે. સાથે જ કેટલાક વિસ્તારોમાં વાદળ પણ જોવા મળશે.
બીજી બાજુ, રાજ્યમાં વરસાદની સંભાવના અંગે માહિતી આપતાં અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે, હાલ ગુજરાતમાં વરસાદની કોઇ સંભાવના દેખાતી નથી.
આ પણ વાંચો: હવામાન ખાતાએ કરી નાખી આગાહી, બફારો તો રહેશે જ પરંતું, મીની વાવાઝોડુ પણ આવશે
ગુજરાતના સૌરાષ્ટ્રમાં એક સિસ્ટમ બની છે. જેના કારણે અમુક જગ્યાએ ખૂબ હળવો વરસાદ જોવા મળી શકે છે.
જો કે, હવામાન વિભાગની આગામી પ્રમાણે આવનારા સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે. બે દિવસ રાજ્યમાં પવન ફૂંકાશે.
કચ્છ, પાટણ અને બનાસકાંઠા માટે વિન્ડ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ 25 -30 km ની ઝડપે પવન ફૂંકાશે. કેરળના ઉત્તર પૂર્વીય ક્ષેત્રોમાં ચોમાસુંં બેસી ગયું છે. ત્યારે ગુજરાતમાં 15 જૂન આસપાસ ચોમાસુંં બેસશે.
હવામાન વિભાગની આગાહીના પગલે ડુમસનો દરિયો બંધ કરાવાયો છે. વિખ્યાત હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે નિર્ણાયક આગાહી કરી છે: આજથી, હવામાનમાં નોંધપાત્ર ફેરફારોની ધારણા છે, જે સંભવિત રીતે ભારે તોફાન તરફ દોરી જશે.
આ આગાહી ખાસ કરીને કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, મોરબી અને આંધિવંટોલા જેવા પ્રદેશો માટે નોંધપાત્ર છે, જ્યાં તોફાનની ગતિવિધિ તીવ્ર બની શકે છે. વધુમાં, અમદાવાદના રહેવાસીઓએ સતર્ક રહેવું જોઈએ કારણ કે તેમના વિસ્તારમાં પણ વાવાઝોડું આવી શકે છે.
આ અપેક્ષિત હવામાનની વધઘટ વચ્ચે દરેક વ્યક્તિએ માહિતગાર રહેવું અને તેમની સલામતીની ખાતરી કરવા માટે જરૂરી સાવચેતી રાખવી જરૂરી છે.