Holi 2025: હોળીની જ્વાળા પરથી કેવી રીતે થાય છે મોસમની આગાહી? વાવાઝોડું, વરસાદ, ચોમાસુ કેવું રહેશે

Holi 2025: હોળીનો તહેવાર આધ્યાત્મિક રીતે મહત્વનો છે જ પરંતુ હોળીમાં પવનની દિશા મહત્વની માનવામાં આવે છે. હોળીમાં પવનની દિશા અને હોળીકા દહન બાદ જવાળાઓની દિશા પરથી આગામી વર્ષ કેવું રહેશે તેનો વરતારો જાણકારો દ્વારા કાઢવામાં આવતો હોય છે.

લોકજીવન પર તેની કેવી અસર રહેશે. શાંતિ-સમૃદ્ધિ અને ભવિષ્યનું અનુમાન કરવામાં આવે છે. પવનની દિશા પરથી વરસાદ તેમજ દુષ્કાળનું અનુમાન પણ થાય છે. હોળીનો તહેવાર રંગો, ઉત્સાહ અને નવી ઉર્જાનો તહેવાર છે. તે અનિષ્ટ પર સારાની જીતના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. હોલિકા દહન હોળીના એક દિવસ પહેલા એટલે કે ફાલ્ગુન મહિનાની પૂર્ણિમાના દિવસે કરવામાં આવે છે.

આ પણ વાંચો: માવઠુ તો સમજ્યા પણ હવે આંધી વંટોળની આગાહી આવી ગઈ, જાણો ફેબ્રુઆરીથી લઈને જૂન મહિના સુધીની અંબાલાલ પટેલની આગાહી

પવનની દિશા પરથી વરસાદનું અનુમાન
હોળીમાં પવનની દિશા મહત્વની માનવામાં આવે છે, પવનની દિશાથી શાંતિ-સમૃદ્ધિ અને ભવિષ્યનું અનુમાન કરી શકાય છે ત્યારે જાણો હોળીના વરતારા વિશે જોઇએ તો પવનની દિશા પરથી વરસાદનું અનુમાન પણ થાય છે. હોળીમાં ઉત્તર દિશાનો પવન ફૂંકાય તો વરસાદ સારો થાય તથા શિયાળો સારો ગણાય તેમજ હોળીમાં પૂર્વ દિશાનો પવન ફૂંકાય તો ખંડવૃષ્ટિ થાય છે. હોળીમાં નૈઋત્ય દિશાનો પવન સાધારણ વરસાદ લાવે છે. ત્યારે જાણો હોળીના વરતારા વિશે

પવનની દિશા પરથી વરસાદનું અનુમાન
હોળીમાં પવનની દિશા મહત્વની માનવામાં આવે છે, પવનની દિશાથી શાંતિ-સમૃદ્ધિ અને ભવિષ્યનું અનુમાન કરી શકાય છે ત્યારે જાણો હોળીના વરતારા વિશે જોઇએ તો પવનની દિશા પરથી વરસાદનું અનુમાન પણ થાય છે. હોળીમાં ઉત્તર દિશાનો પવન ફૂંકાય તો વરસાદ સારો થાય તથા શિયાળો સારો ગણાય તેમજ હોળીમાં પૂર્વ દિશાનો પવન ફૂંકાય તો ખંડવૃષ્ટિ થાય છે. હોળીમાં નૈઋત્ય દિશાનો પવન સાધારણ વરસાદ લાવે છે.

ક્યારે દુષ્કાળની સંભાવના
હોળીમાં અગ્નિ દિશાનો પવનથી દુષ્કાળની સંભાવના રહે છે
ચારેય દિશાથી પવન જુદી-જુદી દિશામાં ફરે તો વર્ષ નબળું ગણાય છે
આ કારણે પ્રજા, પશુ, રાજા માટે નુકસાન થઇ શકે છે
હોળીમાં ઘૂમાડો સીધો ઉપર જાય તો રાજગાદી-નેતાને મુશ્કેલી આવે છે

હોલિકા દહનના દિવસે આ કામ કરો

  • જે લોકો હંમેશા અજાણ્યા ડરથી સતાવે છે, તેમણે હોલિકા દહન જોવા જતી વખતે સુરમા અથવા કાજલનો ડબ્બો સાથે રાખવો જોઈએ. તેનાથી રાહત મળશે.
  • રોગોથી રક્ષણ અને મુક્તિ મેળવવા માટે હોલિકા દહનની અગ્નિમાં ઘઉંના પોખને પકાવો અને તેને પ્રસાદ તરીકે ખાઓ.
  • જો તમને વારંવાર ખરાબ નજરથી અસર થાય છે, તો નારિયેળને તમારા માથાથી સાત વાર ઉતારી અને તેને હોલિકાની અગ્નિમાં ફેંકી દો.
  • નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ મેળવવા માટે હોલિકા દહનની રાત્રે ભગવાન શિવની પૂજા કરો. શિવલિંગ પર 7 ગોમતી ચક્ર ચઢાવો અને પ્રગતિ માટે પ્રાર્થના કરો.

Leave a Comment