Junagadh Agri Meteorological Department: આ તારીખથી ચોમાસું જામશે, કૃષિ હવામાન વિભાગની આગાહી

Junagadh Agri Meteorological Department: રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં અનેક જીલ્લાઓમાં વરસાદી માહોલ છવાયો છે.

ત્યારે હાલ આ સમગ્ર મામલે જુનાગઢ કૃષિ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, 8 દિવસ બાદ સૌરાષ્ટ્રમાં ચોમાસાનું આગમન થશે.

તેમજ 27 જૂન બાદ વાવણી લાયક વરસાદ થશે. તેમજ પ્રતિકૂળ હવામાનને કારણે ચોમાસુ આવવામાં વિલંબ થઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર ભરમાં ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા છે.

ત્યારે હાલ જુનાગઢ કૃષિ હવામાન નિષ્ણાંત ધીમંત વઘાસીયા એ આગાહી કરતા જણાવ્યું કે. નૈઋત્યનું ચોમાસુ હાલ નવસારી પાસે સ્થિર છે.

આ પણ વાંચો : જીરુંના ભાવમાં આજે ભુક્કા કાઢતી તેજી, ભાવ 6 હજાર રૂપિયાને પાર

Junagadh Agri Meteorological Department: હજુ પણ આગામી ચાર દિવસ સુધી નવસારી વિસ્તારમાં ચોમાસુ સ્થિર રહેવાનું છે. પ્રતિકૂળ પરિસ્થિતિને હિસાબે ચોમાસાને આગળ વધવામાં સાનુકૂળ પરિસ્થિતિ સર્જાતી નથી.

જેના કારણે ચોમાસું સ્થિર જોવા મળશે. આગામી આઠ દિવસ સુધી સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદની શક્યતા નથી.

આગામી તારીખ 27 જૂન બાદ સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદ થવાની શક્યતા દર્શાવી શકે છે.

Leave a Comment