Kritika Nakshatra 2025: કૃતિકા નક્ષત્રમાં ભુક્કા બોલાવશે વરસાદ, ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી

Kritika Nakshatra 2025: ગુજરાતના વાતાવરણમાં છેલ્લા આઠ-દસ દિવસથી પલટો આવ્યો છે. કમોસમી વરસાદનો એક રાઉન્ડ આવી ગયો છે, પરંતુ હજુ લોકોને રાહત મળવાની નથી. રાજ્યમાં આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં કચ્છ, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં સામાન્ય મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. આ દરમિયાન પવનની ગતિ 30થી 40 કિમીની રહી શકે છે.  

Kritika Nakshatra 2025 માં રાજ્યના કેટલાક ભાગોમાં આંધી-વંટોળ સાથે વરસાદની આગાહી છે. 25 મે થી 4 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં સિસ્ટમ બનવાની સંભાવના છે. અરબી સમુદ્રમાં સિસ્ટમ બનતા ચક્રવાતમાં ફેરવાઈ શકે છે . 28 મે થી 4 જૂન વચ્ચે રાજ્યમાં રોહિણી નક્ષત્રમાં વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા છે. આવતીકાલથી અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસુ બેસી શકે છે.

હવામાન વિભાગની માહિતી પ્રમાણે ગુજરાતમાં 15 મેએ પણ વરસાદ પડી શકે છે. ગુરૂવારે રાજ્યમાં ભાવનગર, તાપી, અમરેલી, ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે..

રાજ્યમાં હજૂ પણ કમોસમી વરસાદ પડશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે. આજે અને આવતીકાલે એટલે કે 14મેના રોજ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા દર્શાવાઇ છે. તો 15 થી 19 મે દરમિયાન રાજ્યાના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા દર્શાવાઇ છે. જૂનાગઢ, ભાવનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે.

કેરળમાં ચોમાસાની એન્ટ્રી 27 મેએ થવાની સંભાવના છે. તે દેશના અલગ-અલગ ભાગમાં થતાં 5 જુલાઈએ રાજસ્થાનના પશ્ચિમી ભાગમાં પહોંચશે. એટલે કે 27 મેથી 5 જુલાઈ સુધી દેશનો દરેક ખુણો વરસાદમાં પલળી ગયો હશે. આ વખતે ચોમાસામાં સારા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ચોમાસુ 27 મે થી શરૂ થશે. 1 જૂને કેરળ અને તમિલનાડુમાં ચોમાસુ પ્રવેશ કરશે. આ પછી, ચોમાસાના પવનો કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પ્રવેશ કરશે અને ૫ જૂન સુધી સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ જોવા મળશે.

આ વર્ષે હવામાનમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. મે મહિનો ભારે ગરમીનો મહિનો છે, પરંતુ હવામાનમાં સતત ફેરફારને કારણે, દેશની રાજધાની સહિત ઘણા રાજ્યોમાં હવામાન હજુ પણ ખુશનુમા છે. એક સમયે જ્યારે લોકો કાળઝાળ ગરમી અને ગરમ પવનોનો સામનો કરતા હતા, ત્યારે વરસાદ અને ઠંડી પવન લોકોને તાજગી આપે છે

Leave a Comment