La-Nino phenomenon active: ચિંતાના સમાચાર, 15 દિવસમાં લા-નીનોની ઘટના એક્ટિવ, જાણો હવામાન ખાતાના સંકેત

La-Nino phenomenon active: દેશમાં પંદર દિવસમાં લા-નીનોની ઘટના એક્ટિવ થાય તેવી સંભાવનાં છે. દેશમાં ગયા વર્ષે, ઓગસ્ટ મહિનામાં, દેશના મોટાભાગના ભાગોમાં ગંભીર  દુષ્કાળનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે ખરીફ પાકને ઘણું નુકસાન થયું હતું.

આ પણ વાંચો : ટેન્શન ન લેતા, આવી ગઈ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, જાણો કયા વરસાદ?

તેનાથી વિપરીત, આ વર્ષે ઓગસ્ટ મહિનામાં અતિશય વરસાદ જોવા મળી રહ્યો છે અને ઘણા રાજ્યોન મહત્વના કૃષિ ઉત્પાદક વિસ્તારોમાં અતિશય વરસાદને કારણે,ખરીફ પાકને નુકસાન થવાની સંભાવના ફરી એકવાર વધી છે.

અત્યાર સુધીમાં રાષ્ટ્રીય સ્તરે સામાન્ય સરેરાશ કરતા 5-6 ટકા વધુ વરસાદ થયો છે.જ્યારે ચોમાસાની ગતિવિધિ હજુ યથાવત છે. ભવિષ્યમાં સપ્ટેમ્બરમાં પણ મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

હવામાન વિભાગે ચાલુ મહિના (ઓગસ્ટ) ના અંત સુધીમાં લા નીના હવામાન ચક્ર સક્રિય થવાની સંભાવના વ્યક્ત કરી છે, જેના કારણે દક્ષિણ પશ્ચિમ ચોમાસાને તેની તીવ્રતા, ગતિશીલતા અને પ્રવૃત્તિ વધારવા માટે નક્કર આધાર મળી શકે છે.

સપ્ટેમ્બરનો વરસાદ વહેલાંવાવેલા ખરીફ પાકો માટે સારો માનવામાં આવતો નથી કારણ કે આ પાક પાકવાનો આ સમય છે. દરમિયાન જુલાઈ ઓગસ્ટમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાક ડૂબી ગયો છે.

ખેડૂતો અને દેશ માટે આ સારો સંકેત નથી. જે વિસ્તારો અથવા હવામાન વિભાગોમાં અગાઉ વરસાદની અછત હતી ત્યાં વાદળો ગાજવીજ અને વરસાદ પડવા લાગ્યા છે.

Leave a Comment