Monsoon update today: ખેડુતોને પોરહના પલ્લા છુટી ગયા, કેરળમાં ચોમાસાનું આગમન, અરબી સમુદ્રમાં વાદળોનો જોરદાર નજારો

Monsoon update today: દક્ષિણપશ્ચિમ ચોમાસુ, નિર્ધારિત સમય પહેલા કેરળના કિનારે પહોંચી ગયું છે. હવામાન વિભાગે અગાઉ 31 મેના રોજ ચોમાસાના આગમનની આગાહી કરી હતી.

જો કે આગાહીના એક દિવસ પહેલા, ચોમાસું કેરળમાં ત્રાટક્યું હતું. હવે તે ઉત્તરપૂર્વના કેટલાક ભાગો તરફ આગળ વધી રહ્યું છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડૉ.નરેશ કુમારે ગુરુવારે જણાવ્યું હતું કે, તમામ સ્થિતિનું મૂલ્યાંકન કર્યા બાદ આજે અમે કેરળમાં ચોમાસું આગળ વધવાની જાહેરાત કરી છે.

ચોમાસાએ કેરળના મોટાભાગના વિસ્તારોને આવરી લીધા છે. તેમણે કહ્યું કે, આગામી 3-4 દિવસોમાં તે તમિલનાડુ અને કર્ણાટકના ભાગો તેમજ પેટા-હિમાલયન પશ્ચિમ બંગાળ અને બાકીના ઉત્તરપૂર્વીય રાજ્યોને આવરી લે તેવી શક્યતા છે.

આ પણ વાંચો : અંબાલાલ પટેલની હાજા ગગડી જાય એવી આગાહી, ચોમાસુ ગુજરાતમાં ક્યારે ? તારીખ જાણી લેજો

જોકે, ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 5મી જૂન છે. પરંતુ તે 30મી મે ના રોજ જ કેરળ પહોંચ્યું હતું. આ એટલા માટે છે, કારણ કે સમુદ્રમાં પવનની પેટર્ન પહેલેથી જ સ્થાપિત થઈ ગઈ હતી.

નોંધનીય છે કે, ભારતીય હવામાન વિભાગે બુધવારે કહ્યું હતું કે, આગામી 24 કલાક દરમિયાન કેરળમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના આગમન માટે સ્થિતિ અનુકૂળ રહેશે અને તે 31 મે સુધીમાં પહોંચવાની સંભાવના છે.

ચોમાસાના આગમનની પુષ્ટિ કેવી રીતે થાય છે?
10 મે પછી ગમે ત્યારે જો કેરળના 14 કેન્દ્રો અને પડોશી વિસ્તારોમાં સતત બે દિવસ સુધી 2.5 મીમી કે તેથી વધુ વરસાદ પડે, તો ચોમાસું આવવાની પુષ્ટિ થાય છે.

આ ઉપરાંત પવનની દિશા દક્ષિણ-પશ્ચિમ તરફ હોય તેના પર પણ ધ્યાન આપવામાં આવે છે.

Leave a Comment