Navratri rainfall forecast: ત્રણ ઓક્ટોબર નવરાત્રિના પ્રથમ દિવસથી 5 ઓક્ટોબર સુધી હસ્ત નક્ષત્રમાં ગાજવીજ અને પવન સાથે કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ થવાની શક્યતા છે.
જ્યારે 9થી 12 ઓક્ટોબર દરમિયાન ચિત્રા નક્ષત્રમાં પણ વરસાદ વરસશે. આ આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે. જી હાં, નવરાત્રિમાં વરસાદની વરસવાની આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલની આગાહીથી ખેલૈયાઓની ચિંતા વધી ગઈ છે, કેમ કે ખેલૈયાઓ ગરબે ઘૂમવા થનગનાટ કરી રહ્યા છે અને બીજી તરફ આ વરસાદ નવરાત્રિના રંગમાં ભંગ પાડી શકે છે.
આ પણ વાંચો : પરેશ ગોસ્વામીએ કરી ઘાતક આગાહી, ખંભાતના અખાતમાં સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ, જાણો કયા આગાહી
તેમણે કહ્યું કે, શરદ પૂનમ પછી પણ હવામાનમાં ફેરફાર થતા રહેશે અને ક્યાંક ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા રહેશે.

શરદ પૂનમથી દેવ દિવાળી સુધીના ભાગોમાં હવામાનમાં પલટા આવ્યા કરશે અને દરિયા ભારે પવન ફૂંકાશે. તારીખ 18, 19, 20 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું છે
અને તારીખ 22 સુધીમાં રાજ્યના ભાગોમાં વાદળવાયુ વાતાવરણ થઈ શકે અને ક્યાંક માવઠું થવાની શક્યતા પણ રહી શકે છે.
મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુકાવાની શક્યતા છે. રવિવારે પણ રાજ્યમાં વરસાદની આગાહી છે.
આવતીકાલે પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરતમાં ભારે વરસાદ સાથે યેલો અલર્ટ છે. તો ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં યલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે