Navtapa 2025: સૂર્યનો રોહિણીમાં પ્રવેશ થયા બાદ શરૂઆતના નવ દિવસ વધુ ગરમી પડે છે, માટે આને નૌતપા કહેવામાં આવે છે. આ દરમ્યાન પૃથ્વી અને સૂર્ય ઘણા નજીક આવી જાય છે જેને કારણે કાળઝાળ ગરમી પડે છે.
ઉપરાંત જો નૌતપા દરમ્યાન વરસાદ પડે તો નૌતપાનું કોઈ મહત્ત્વ રહેતું નથી. આવું થવાને કારણે ચોમાસા દરમ્યાન સારો વરસાદ થવાની સંભાવના રહેતી નથી. જ્યોતિષાચાર્ય પંડિત શર્માનું કહેવું છે કે, આ જ્યોતિષનો વિષય છે, આનું પૌરાણિક મહત્ત્વ વધારે નથી. જ્યોતિષમાં સૂર્ય સિદ્ધાંતમાં અને શ્રીમદ્દભાગવતમાં પણ આનો ઉલ્લેખ છે.
તે મુજબ જ્યારે જ્યોતિષની રચના થઇ ત્યારથી નૌતપા ચાલતા આવ્યા છે. સ્કાયમેટ’ના વાઇસ પ્રેસિડેન્ટ મહેશ પલાવતે કહ્યું કે, દર વર્ષે મેના અંત અને જૂનના પહેલા અઠવાડિયામાં વધુ ગરમી પડવાની શરૂઆત થાય છે, અને આવું સૂર્યની સ્થિતિ બદલવાને કારણે થાય છે.
સૂર્ય ફરતો-ફરતો મધ્ય ભારતની ઉપર આવી જાય છે અને જૂનમાં કર્ક રેખા પાસે આવી જાય છે. આ દરમ્યાન તે 90 ડિગ્રીની પોઝિશનમાં હોય છે, જેને કારણે તેના કિરણો સીધા પૃથ્વી પર પડે છે. માટે જ તાપમાન વધી જાય છે.
વધારે ગરમી પડવાને કારણે ચોમાસું સારું જ રહેશે એવું કંઈ ફિક્સ નથી. હા, વધુ ગરમી પડવાને કારણે મેદાન વિસ્તારમાં ઓછા દબાણનું ક્ષેત્ર રચાય છે, જેને ‘હીટ લો’ કહેવાય છે. આ ચોમાસાને સક્રિય કરવામાં મદદરૂપ થાય છે. પરંતુ, અમે એવું ન કહી શકીએ કે વધુ ગરમી પડવાથી ચોમાસું પણ સારું જ રહેશે.
Navtapa 2025 ક્યારે શરૂ થશે?
આ વર્ષે નવતપાની શરૂઆત 25 મે 2025થી થઈ રહી છે અને 3 જૂન 2025 સુધી રહેશે.
જ્યોતિષ અનુસાર, 25 મે 2025ના રોજ સવારે 3 વાગી અને 27 મિનિટે સૂર્ય દેવ રોહિતી નક્ષત્રમાં પ્રવેશ કરશે અને 8 જૂન 2025 સુધી તેમાં રહેશે.
સૂર્ય એક નક્ષત્રમાં આશરે 15 દિવસ રહે છે, જેમાંથી શરૂઆતના 9 દિવસ સૌથી વધુ ગરમીવાળા હોય છે, જેને નવતપા કહેવામાં આવે