Predictions of Paresh Goswami: ગુજરાતમાં નવેમ્બર મહિનાના મધ્ય સુધીમાં પણ ઠંડીનો અનુભવ થઈ નથી રહ્યો. ગુજરાતીઓના મનમાં એક મોટો સવાલ છે કે, આ વખતે શિયાળો ક્યારથી શરૂ થશે?
ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આ શનિવાર એટલે કે 17મી નવેમ્બર સુધીમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે. તો હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ વાતાવરણ સુકું રહેશે તેવી આગાહી કરી છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાના સોશિયલ મીડિયામાં ગુજરાતના હવામાન અંગેનો એક વીડિયો અપલોડ કર્યો છે. જેમાં તેમણે શનિવાર સુધી એટલે કે 17મી નવેમ્બર સુધીમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે.
આ પણ વાંચો : શાલ અને સ્વેટર કાઢી રાખજો, 30 વર્ષનો રેકૉર્ડ તૂટશે, પારો ગગડવાની આગાહી
તેમણે જણાવ્યુ છે કે, લઘુત્તમ તાપમાનમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. રાત્રીએ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. રાતે ઠંડી વધી રહી છે પરંતુ દિવસનું તાપમાન હજી પણ ઊંચુ છે.
પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, 17 નવેમ્બર સુધીમાં અલગ અલગ વિસ્તારોમાં દિવસનું તાપમાન 32થી 35 ડિગ્રી સુધી જોવા મળે તેવું અનુમાન છે. હાલ તાપમાન ઘણી જ ધીમી ગતિએ ઘટી રહ્યું છે.

ચાર દિવસમાં માત્ર એક ડિગ્રી તાપમાન ઘટ્યું છે જ્યારે આવનારા સમયમાં પણ એકથી બે જ ડિગ્રી ઘટશે તો પણ 31થી 33 ડિગ્રી જેટલું તાપમાન થઈ શકે છે. એટલે દિવસના તાપમાનમાં કોઈ મોટો ઘટાડો થવાનો નથી.
આ સાથે તેમણે જણાવ્યું છે કે, 14મી નવેમ્બરથી દિવસના તાપમાનમાં જે ગરમી અને બફારો અનુભવાય છે તેમાં થોડો ઘટાડો થઈ શકે છે.
ભેજનું પ્રમાણ હવે ઝડપથી ઘટી રહ્યું છે. પવનની ગતિ પણ હાલ નોર્મલની નજીક છે. હાલ ઈશાન ખૂણાનો પવન એટલે જેને આપણે ભોર પવન કહીએ છીએ તે સેટ થઈ ગયો છે.
હવામાન નિષ્ણાતે જણાવ્યું છે કે, આ સમયગાળા દરમિયાન સામાન્ય રીતે વાદળ થઈ જતા હોય છે પરંતુ હાલ એવું કાંઈ દેખાતું નથી અને 17મી તારીખ સુધીમાં પણ વાદળો થાય તેવી કોઈ શક્યતા દેખાઈ નથી રહી. આકાશ ચોખ્ખું રહેવાની શક્યતા