Predictions of Paresh Goswami in Bhadrawa: રાજ્યમાં સતત વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ખાસ કરીને, બંગાળની ખાડીમાંથી આવતી સિસ્ટમોની અસર રાજ્યના હવામાન પર જોવા મળી રહી છે. હાલ ત્રણ સિસ્ટમના લીધે રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે.
આવામાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આવનારા સમયમાં રાજ્યનું હવામાન કેવું રહેશે? તે અંગે માહિતી આપી છે. આવનારા દિવસોમાં રાજ્યમાં વરસાદની સ્થિતિની સાથે પવન અને તાપમાન અંગે પણ માહિતી આપી છે. તેમના જણાવ્યા અનુસાર, ઉકળાટ અને બફારા માટે તૈયાર રહેવું પડશે.
આ પણ વાંચો :નવો કપાસ માર્કેટમાં, આજે કપાસના ભાવમાં તેજી, જાણો ભાવ
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ તેમના યુ-ટ્યુબ વીડિયોમાં જણાવ્યું કે, હમણા રાજ્યમાં કોઇ મોટી વરસાદી સિસ્ટમ સક્રિય નથી. જેના કારણે ભારે કે સારા વરસાદો થાય તેવી અપેક્ષાઓ હમણા રાખવાની નથી.
અત્યારે મોટાભાગની સિસ્ટમો આપણા પરથી પસાર થઇને અમુક સિસ્ટમો બંગાળની ખાડીમાંથી બનીને મધ્યપ્રદેશ પરથી ઉત્તર ભારત તરફ જઇ રહી છે. જેના કારણે 850 એચપીએ લેવલ અને 700 એચપીએ લેવલે અમુક પ્રકારના ભેજ છે.
જેના કારણે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારોમાં ભારેથી અતિભારે ઝાપટા જોવા મળશે. સારો વરસાદ નહીં, પણ મધ્યમથી ભારે અને અમુક જગ્યાએ અતિભારે ઝાપટાઓ જોવા મળશે. તે પણ છૂટાછવાયા વિસ્તારમાં હશે. તે સિવાયના વિસ્તારોમાં કોઇ મોટા વરસાદની શક્યતાઓ નથી.

સૌરાષ્ટ્રમાં બે-ત્રણ દિવસ સુધી સામાન્યથી મધ્યમ, તે પણ એકદમ છૂટાછવાયા ઝાપટા જોવા મળશે. 11થી 15 સપ્ટેમ્બર સુધી પવનની ગતિ વધશે. પવનની ગતિ મોટાભાગે 18થી લઇને 22 કિલોમીટર પ્રતિકલાક થઇ શકે છે. ખાસ કરીને, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધારે જોવા મળી શકે છે.
પવનની ગતિની સાથે આવનારા પાંચ દિવસ તાપમાનમાં પણ થોડો વધારો થાય તેવી શક્યતાઓ છે. 11થી 15 સપ્ટેમ્બર સુધી તાપમાનમાં એકથી બે ડિગ્રી અને અમુક વિસ્તારોમાં ત્રણ ડિગ્રી સુધીનો વધારો થઇ શકે છે. અમુક વિસ્તારમાં 32થી 34 ડિગ્રી સુધી તાપમાન જોવા મળી શકે છે.