Rainfall in the month of Bhadwara: રાજ્યમાં અતિભારે વરસાદને પગલે ભારે તારાજી સર્જાઇ છે, ત્યારે હજુ આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિ કેવી રહેશે? તે અંગે જૂનાગઢના વંથલીના આગાહીકાર રમણીક વામજાની આગાહી સામે આવી છે.
તેમના અનુમાન પ્રમાણે, ગુજરાતમાં ભાદરવો મહિનો ભુક્કા બોલાવશે. રમણીક વામજાએ સપ્ટેમ્બર મહિનામાં કઇ-કઇ તારીખોમાં ગાજવીજ સાથે વરસાદ પડશે અને ક્યારે ગરમીનો પ્રકોપ વધશે, તે અંગે અનુમાન વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચો : ભારે વરસાદની ચેતવણી! ગુજરાત પર અન્ય એક ડિપ્રેશનની અસર, હવામાન વિભાગે આપી દીધું આખું શિડ્યુલ
રમણીક વામજાએ જણાવ્યું કે, 3થી 9 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. બપોર બાદ મંડાણી વરસાદ થઈ શકે છે. જ્યારે હજુ ગાજવીજ સાથે ભારે વરસાદ થઈ શકે છે. ઉપરાંત ભાદરવામાં અતિભારે ગરમી પડી શકે છે.
જૂનાગઢના વંથલીના આગાહીકાર રમણીક વામજાએ જણાવ્યું કે, 13થી 15 સપ્ટેમ્બરે ગાજવીજ સાથે વરસાદ થશે. આ ગાળામાં બપોર પછી મંડાણી વરસાદ થઈ શકે છે. 21થી 28 સપ્ટેમ્બરમાં પણ ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. બપોર પછી ગાજવીજ સાથે મંડાણી વરસાદ થઈ શકે છે. કેટલાક ભાગમાં 2થી 7 ઈંચ સુધીનો વરસાદ થઈ શકે છે. ભાદરવામાં ગરમીનું પ્રકોપ ખૂબ રહી શકે છે.
તેમણે ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક આગાહી કરી છે. આગાહીકાર રમણીક વામજાની મોટી આગાહી કરી છે કે, ભાદરવા મહિનામાં તીડનો પ્રકોપ રહી શકે છે. રાજસ્થાન સરહદ પરના વિસ્તારમાં તીડ જોવા મળી શકે છે.

વંથલીના આગાહીકારની વરસાદ અંગેની આગાહી પ્રમાણે, ગુજરાતના ખેલૈયાઓ માટે ચિંતાજનક સમાચાર છે. તેમણે કહ્યું કે, નવરાત્રિના છેલ્લા નોરતાઓમાં પણ વરસાદ થશે. દશેરા ઉપરાંત શરદ પૂર્ણિમાએ પણ વરસાદ થશે. નવરાત્રિમાં પણ ગરમીનો પ્રકોપ રહી શકે છે.
તેમણે જણાવ્યું કે, દિવાળીના દિવસોમાં ગરમીનો પ્રકોપ રહી શકે છે. નવરાત્રિમાં ડબલ ઋતુનો અહેસાસ થઈ શકે છે. બફારાવાળી ગરમી અને વરસાદ પણ પડી શકે છે.
આગાહીકાર રમણીક વામજાએ કહ્યું કે, ભાદરવામાં સાંપ, વિંછીનો ઉપદ્રવ વધી શકે છે. પાછોતરો વરસાદ પણ જોરદાર હશે. કેટલાક ભાગમાં લીલો દુકાળ પણ થઈ શકે છે. ખેડૂતોને ઘાસચારો સાચવી રાખવા અપીલ કરી છે.