Red Alert in Gujarat: અમદાવાદમાં મધરાતથી વરસાદના કારણે હજુ પણ પાણી ઓસર્યા નથી. અમદાવાદ શહેરના અનેક વિસ્તારો હજુ પણ જળમગ્ન છે. ડ્રેનેજ લાઈન કે વરસાદ લાઈન કામ નથી આપી રહી.
ભાજપ શાસિત AMCની કામગીરી સામે સૌથી મોટો પ્રશ્નાર્થ છે. શું AMCના પમ્પિંગ સ્ટેશનો પણ ક્ષમતાથી નથી કરી રહ્યા કામ? વર્ષે કરોડો રૂપિયા ખર્ચાતા હોવા છતા પણ કામગીરી નહીં. પરંતું આકાશમાં એક વરસાદી સિસ્ટમ એવી ઉભી થઈ છે કે, આખા અમદાવાદને ડુબાડી દેશે.
અપડેટ અનુસાર, ખતરનાક વરસાદી સિસ્ટમ ગુજરાતથી માત્ર 150 કિમી દૂર છે. આવામાં ખરેખર ઈંચમાં નહીં પણ ફૂટમાં વરસાદના એંધાણ છે. કમ કે, આ સિસ્ટમ જ્યાંથી પસાર થઈ ત્યાં ભયંકર પૂર અને ઘાતક સ્થિતિ સર્જાઈ છે.
આ પણ વાંચો : કામ સિવાય બહાર નીકળતા નય, આખા સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર, જાણો ભયંકર આગાહી
રાજસ્થાન, મધ્યપ્રદેશમાં જ્યાંથી સિસ્ટમ પસાર થઈ ત્યાં ભયંકર સ્થિતિ સર્જાઇ છે. સાબરમતી નદી પરનું સંત સરોવર ૯૦ ટકા ભરાઈ ગયું છે. ઉપરવાસમાં વરસાદના કારણે સાબરમતી નદીમાં પાણીની આવક વધી છે.
નદી કિનારાના વિસ્તારોને સતર્ક રહેવા સૂચના અપાઈ છે. નદી કિનારે નાગરિકોને અવરજવર ન કરવા સૂચના અપાઈ. સંત સરોવરના ૩ દરવાજા ખોલાયા છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની વરસાદને મોટી આગાહી કરી છે. તેમણે ગુજરાતમાં હજુ પણ વધારે ભયંકર વરસાદ આવશે તેવી આગાહી કરી છે.

અમદાવાદ, ભાવનગર, આણંદ અને વડોદરામાં સિસ્ટમ સક્રિય થઈ છે. આજે અને આવતીકાલે બે દિવસ મેઘતાંડવની આગાહી કરી છે. અમુક વિસ્તારમા 15 ઇંચથી વધારે વરસાદ વરસવાની આગાહી છે. આગામી 36 કલાક ગુજરાત માટે ભારે વરસાદનો ખતરો રહેશે. તેમણે કહ્યું કે, ડીપ્રેશન વધુ સ્ટ્રોંગ બન્યું છે,
Red Alert in Gujarat: જેની અસરથી આવનારા 36 કલાકમાં ગુજરાતના અનેક જિલ્લામાં મેઘ તાંડવ થશે. ભારેથી અતિ ભારે વરસાદ પડશે, સાવધાન રહેજો
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા ઉચ્ચ સ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજી હતી.
મુખ્યમંત્રી સોમવારે બપોરે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા અને વરસાદગ્રસ્ત જિલ્લાઓના કલેકટરો મ્યુનિસિપલ કમિશ્નરો તથા જિલ્લા અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને તલસ્પર્શી વિગતો મેળવી હતી.
તેમણે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારના લોકોના સલામત સ્થળાંતર માટે તાકીદ કરી હતી, મુખ્ય મંત્રી શ્રીએ જિલ્લા કલેક્ટરઓ અને મ્યુન્સિપલ કમશનરોને સ્પષ્ટપણે જણાવ્યું કે આપણી પહેલી પ્રાયોરિટી મનુષ્ય જીવન અને પશુધનની જાનહાની ના થાય તે હોવી જોઈએ.