Imd forcast: હવામાન વિભાગનાં વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે તા. 9 થી તા.15 ઓગસ્ટ સુધી રાજ્યમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, ગુજરાતના તમામ જિલ્લાઓમાં બે દિવસ ગાજવીજની ચેતવણી આપવામાં આવી છે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી પણ આપવામાં આવી છે. બીકાનેર પર મોન્સુન ટ્રફના લીધે ભારે વરસાદની આગાહી છે.
આ પણ વાંચો : અંબાલાલ પટેલની ખેડૂતોને સલાહ, 15 ઓગસ્ટ પછી ક્યાં પડશે અનરાધાર વરસાદ
હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિતનાં વિસ્તારો જેવા કે ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, દમણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આગામી ત્રણ દિવસ રાજ્યનાં તમામ તાલુકામાં ગાજવીજ સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. તેમજ આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
રાજસ્થાન તરફથી આવતા વરસાદી ટ્રફના કારણે આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી સાથે થંડરસ્ટ્રોમની વોર્નિંગ અપાઈ છે. તો બીજી તરફ 35થી 45 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાને લઈ માછીમારોને આગામી 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

પવનની ઝડપ 35 કિ.મી થી 45 કિ.મી પ્રતિ કલાક રહેવાની સંભાવના છે. તો આ તરફ 1 જુનથી આજ સુધી સમગ્ર ગુજરાતમાં 514mm વરસાદ નોંધાયો છે. જે નોર્મલ વરસાદ 462mm કરતા +11 ટકા વધારે વરસાદ છે. અને તેમાં પણ સૌરાષ્ટ્રમા 458 mm વરસાદ નોંધાયો છે. જે નોર્મલ વરસાદ વરસાદ કરતાં +29 ટકા વધારે વરસાદ છે. તો ગુજરાતમાં રિઝીયનમાં 590mm વરસાદ નોંધાયો છે. જે નોર્મલ વરસાદ 597 mm કરતાં – 1 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.