Ambalal Patel and ramnik vamja: મઘા નક્ષત્ર ક્યારથી, નવરાત્રિમાં પાછોતરો વરસાદ, જાણો રમણીકભાઈ વામજાની આગાહી

Ambalal Patel and ramnik vamja: જૂનાગઢના અગ્રણી આગાહીકાર રમણીક વામજાએ જણાવ્યું હતું કે ખગોળ વિદ્યા અને ભડલી વાકયના આધારે તા.૧૮ ઓગસ્ટ સુધી સારા વરસાદની શક્યતા છે.

૧૬મી ઓગસ્ટથી મઘા નક્ષત્ર શરૂ થાય છે, જેનું વાહન શિયાળ છે. આ નક્ષત્રના આધારે તા.૧૨ ઓગસ્ટના સારો વરસાદ પડશે.

આ પણ વાંચો : અંબાલાલ પટેલે કરી નાખી આગાહી, જાણી લેજો રાખવી પડશે આ કાળજી

તા.૧૯ ઓગસ્ટને શ્રાવણ મહિનાની પુનમ હોવાથી શ્રવણ નક્ષત્રમાં સારા વરસાદની શક્યતા છે. તા.૧૨થી ૧૫ ઓગસ્ટ વિછુડો છે અને આ સમયગાળા દરમિયાન ગરમીનું પ્રમાણ વધારે રહેશે. અમરેલી, ભાવનગર રાજકોટ જિલલામાં સારો વરસાદ થાય અને ભાદર ડેમમાં નવા નીર આવે.

અંબાલાલ પટેલની આગાહી
આ વખતે તેજ પવનો દક્ષિણ પશ્ચિમ રહી શકે નહીં. તેજ પવનો ભારતમાં આવતા હોય ત્યારે પાછા ફરતા કમોસમી પવનો તેને પાછા ધક્કેલી દેતા હોય છે. લા નીના બનવાના સંજોગોના કારણે ઓક્ટોબર મહિનમાં લાનીનો બને તો તેની ભારતના મોસમ પર કેવી અસર બને તે સમય જ કહેશે.

આમ છતાં પણ સપ્ટેમ્બર મહિનામાં બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણ ઉભા થાય અને ચક્રવાતનું પ્રમાણ વધી શકે. ઓક્ટોબર અને નવેમ્બરમાં પણ ચક્રવાતનું પ્રમાણ વધી શકે. ક્યારેક-ક્યારેક ગરમી પડે તો આ પવનો અસર કરી શકે છે

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, નવરાત્રી દરમિયાન ગુજરાતના અલગ-અલગ વિસ્તારમાં વરસાદની શક્યતા છે. 10 ઓક્ટોબરથી ચિત્રા નક્ષત્ર બેસે છે. ચિત્રા નક્ષત્રમાં ભારે વરસાદ થતો હોય છે. આ વખતે ચિત્રા નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા છે

Leave a Comment