Ashlesha Nakshatra 2024: આ વર્ષે આશ્લેષા નક્ષત્રમાં સૂર્ય નારાયણનો પ્રવેશ તારીખ : 2/08/2024 નાં રોજ વિધિવત રીતે થશે. આશ્લેષા નક્ષત્રનું વાહન ગધેડું છે. જે સારી બાબત ગણાય નહીં. કેમકે આ વાહનને વરસાદ પ્રિય ગણવામાં આવતું નથી. એટલે ગધેડું વાહન હોવાથી વરસાદની સંભાવના મધ્યમ ગણી શકાય.
આ પણ વાંચો : આખા ઓગસ્ટ મહિનાની અંબાલાલ પટેલની આગાહી, જાણો કઈ તારીખમાં કેટલો વરસાદ
આશ્લેષા નક્ષત્ર 2024 ને પણ વરસાદનું મુખ્ય નક્ષત્ર ગણી શકાય. જેમ કે આ નક્ષત્ર ચોમાસાના મધ્ય ભાગમાં આવતું હોવાથી આશ્લેષા નક્ષત્ર 2024 દરમિયાન જો વરસાદના સારા રાઉન્ડ જોવા મળે તો, ખેડૂતો રાહતનો શ્વાસ લે છે. કેમકે આશ્લેષા નક્ષત્રમાં થતો વરસાદ લગભગ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદના રૂપે જોવા મળતો હોય છે. એટલે જ આશ્લેષા નક્ષત્રને પણ વરસાદનું ધોરી નક્ષત્ર ગણવામાં આવે છે.

“આશ્લેષા આંધળી ચગીતો ચગી નહીંતર ફગી”
આ કહેવત આશ્લેષા નક્ષત્રને અનુસરીને કહેવામાં આવી છે.
ગુજરાતમાં ઘણા લોકો આ નક્ષત્રને આંધળું નક્ષત્ર તરીકે પણ ઓળખે છે. જેનું મુખ્ય કારણ એવું છે કે, જ્યારથી આ નક્ષત્ર બેસતું હોય તે દિવસે જે જે વિસ્તારમાં વરસાદની શક્યતા બનતી હોય છે. એ વિસ્તારોમાં આ નક્ષત્ર દરમિયાન મોટાભાગના દિવસોમાં વરસાદી માહોલ જમાવટ કરતું હોય છે. એટલે જ આ નક્ષત્રને આંધળું નક્ષત્ર તરીકે ગણાય છે.
Ashlesha Nakshatra 2024 વરસાદના યોગ
મિત્રો આ નક્ષત્ર 2024 ના દિવસો દરમિયાન ગુજરાતનાં મોટાભાગના વિસ્તારોમાં પવનનું જોર વધારે રહેતું હોય છે. કેમકે ભૂતકાળના ઘણા વર્ષોની યાદી ઉપર નજર કરીએ તો, આ નક્ષત્રના દિવસો દરમિયાન ગુજરાતમાં મોટેભાગે પવનનું પ્રભુત્વ વધુ જોવા મળ્યું છે. આ નક્ષત્રના દિવસો દરમ્યાન વા ફણકીનું પ્રમાણ પણ વધુ રહેતું હોય છે. પવનની સાથે સાથે વરસાદી ઝાપટા વધુ જોવા મળતા હોય છે. ટૂંકમાં આ નક્ષત્રમાં મંડાણી વરસાદ મોટા ભાગે ઓછો પડતો હોય છે. મોટેભાગે આ નક્ષત્રના દિવસો દરમિયાન હેલીનો માહોલ ઉભો થતો હોય છે.